વિજયવાડામાં બનશે નવી વિધાનસભા
ગોપી દારા, વિજયવાડા: એક સમયે ભાજપના સાથી પણ હવે તેની વિરુદ્ધ થઈ ગયેલા ચંદ્રાબાબુ નાયડુ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા પણ ઉંચી ઈમારત બનાવવા જઈ રહ્યા છે. આંધ્રપ્રદેશની નવી બની રહેલી રાજધાની વિજયવાડામાં બનનારું વિધાનસભા ભવન 250 મીટરની ઉંચાઈ ધરાવતું હશે. તેનો ઉપરનો ભાગ સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા 68 મીટર ઉંચો હશે.250 મીટર ઉંચો કોંક્રિટ ટાવર

નાયડૂએ થોડા સુધારાવધારા સાથે આ ડિઝાઈનને ફાઈનલ કરી દીધી છે, અને યુકે સ્થિત આર્કિટેક્ટ્સ નોરમા ફોસ્ટર્સને થોડા સમયમાં તેની બ્લૂ પ્રિન્ટ સોંપી દેવાશે. નવી વિધાનસભા ત્રણ માળની હશે, જેમાં 250 મીટર ઉંચો આ કોંક્રિટનો ટાવર બનાવાશે.
બે વ્યૂઅર્સ ગેલેરી પણ હશે

આંધ્રના પાટનગર અમરાવતીમાં બની રહેલી વિધાનસભા પરના આ ટાવર પર બે જગ્યાએ વ્યૂઅર્સ ગેલેરી પણ રખાશે. પહેલી ગેલેરી 80 મીટરની ઉંચાઈએ હશે, જ્યાં 300 લોકો સમાઈ શકશે, જ્યારે બીજી ગેલેરી 250 મીટર પર હશે, જ્યાં 20 લોકો સમાઈ શકશે, અને સમગ્ર અમરાવતી શહેર જોઈ શકશે. આ બિલ્ડિંગ પર વાવાઝોડાં, ભૂકંપની કોઈ અસર નહીં થાય.
ઉંચાઈની હરિફાઈ

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન થઈ ગયા બાદ દરેક રાજ્ય વચ્ચે સૌથી ઉંચા પૂતળા બનાવવાની હરિફાઈ શરુ થઈ છે, તેવા સમયે જ નાયડૂએ આ જાહેરાત કરી છે. મહત્વનું છે કે, યુપીના સીએમે 201 મીટર ઉંચું ભગવાન રામનું સ્ટેચ્યુ બનાવવાની જાહેરાત કરી છે, જ્યારે કર્ણાટક મા કાવેરીનું 125 મીટર ઉંચું પૂતળું બનાવવા ઉત્સુક છે. મહારાષ્ટ્રમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા ઉંચી શિવાજી મહારાજની પ્રતિમા બની રહી છે.
No comments:
New comments are not allowed.