Latest

Wednesday, November 21, 2018

AAA રેટિંગ માટે રિઝર્વ બેન્કનો આગ્રહ



66728806

સુગાતા ઘોષ

મુંબઈ:કેન્દ્ર સરકાર અને આરબીઆઇના વિવાદમાં મુખ્ય મુદ્દો આરબીઆઇ પાસેની કેશ રિઝર્વનો છે. પરંતુ તેમાં મુખ્ય સવાલ એ છે કે ભારતના ક્રેડિટ રેટિંગ કરતા આરબીઆઇનું રેટિંગ ઊંચું હોઈ શકે? આરબીઆઇની મૂડીના ઉપયોગ અંગે નિર્ણય લેવા માટે સમિતિની રચના થવાની છે જે આ મુદ્દા પર વિચાર કરે તેવી શક્યતા છે.

સોમવારે આરબીઆઇ અને સરકાર વચ્ચે નવ કલાક લાંબી બેઠક ચાલી હતી જેમાં આરબીઆઇના અધિકારીઓએ જણાવ્યું કે મોનેટરી ઓથોરિટી તરીકે આરબીઆઇનું રેટિંગ ટ્રિપલ A (અથવા ટોપ રેટિંગ) હોવું જોઈએ જ્યારે સરકારના નોમિનીએ તે અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે આરબીઆઇની માલિકી કેન્દ્ર સરકાર પાસે છે ત્યારે સરકાર કરતાં સેન્ટ્રલ બેન્કનું રેટિંગ વધારે ઊંચું કઈ રીતે હોઈ શકે?

આ મતભેદ કઈ રીતે ઉકેલાય છે તેના પરથી નક્કી થશે કે આરબીઆઇના નફા અથવા કેશ રિઝર્વનો કેટલો હિસ્સો તેના કન્ટિન્જસી રિઝર્વને મજબૂત બનાવવા માટે વપરાશે અને બાકીનો કેટલો હિસ્સો દર વર્ષે સરકારને ડિવિડન્ડ તરીકે ચૂકવવામાં આવશે. વિશ્વની સૌથી મોટી રેટિંગ એજન્સી એસ એન્ડ પી મુજબ ભારતનું સોવેરિન રેટિંગ સૌથી નીચા ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ પર છે. મૂડીઝે ભારતને સૌથી નીચા ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડથી એક ગ્રેડ ઉપર રેટિંગ આપ્યું છે. આ બંને રેટિંગ ટ્રિપલ Aથી અમુક સ્તર નીચે છે.

આરબીઆઇ માને છે કે ભારત પાસે કોઈ રિઝર્વ કરન્સી નથી અને તેણે પોતાની ચાલુ ખાતાની ખાધને ફંડ કરવાની હોય છે. તેથી સેન્ટ્રલ બેન્કની બેલેન્સશીટ ટોચનું રેટિંગ મેળવી શકાય એટલી મજબૂત હોવી જોઈએ. આરબીઆઇના અધિકારીઓએ પોતાના પ્રેઝન્ટેશનમાં 1991, 1997, 2008 અથવા 2013 જેવી પરિસ્થિતિમાં મેક્રો ઇકોનોમિક અને કરન્સીની અસ્થિરતાનો સામનો કરવા માટેના રિઝર્વની તરફેણ કરી હતી. સરકાર માને છે કે આ આત્યંતિક પોઝિશન હશે કારણ કે ઘણી મધ્યસ્થ બેન્કો આવું ટોચનું રેટિંગ ધરાવતી નથી અને રિઝર્વની રચના અંગે ગાઇડલાઇનને વળગી રહે છે. બીજી તરફ આરબીઆઇ માને છે કે ભારતનો કેસ બીજા કરતાં અલગ છે.

આરબીઆઇ પાસે લગભગ 9 લાખ કરોડની અનામત સરપ્લસ છે જેમાંથી ₹2.3 લાખ કરોડ કન્ટિન્જન્સી રિઝર્વના છે જેને હાથ લગાવી શકાય નહીં. મોટા ભાગની બેલેન્સ રકમ કરન્સી અને ગોલ્ડ રિવેલ્યુએશનના કારણે છે. રિવેલ્યુએશન રિઝર્વ એ પ્રાપ્ત ન કરાયેલો નફો છે અને તેને સેલ અને રૂપિયામાં રૂપાંતરણ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ મોટા ભાગના લોકો આ કવાયતની તરફેણ કરતા નથી. તેથી કમિટી એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરશે કે આરબીઆઇ કેટલા પ્રમાણમાં રિઝર્વ જાળવી શકે છે.

]]>



from Page Array – I Am Gujarat https://ift.tt/2Q8mVLQ

No comments:

Post a Comment

Pages