દીપશિખા સિકરવાર
નવી દિલ્હી:શું ભારતના આગામી મુખ્ય આર્થિક સલાહકાર (સીઇએ) તરીકે કોઈ મહિલાની નિયુક્તિ થશે? અરવિંદ સુબ્રમણિયનની લંબાવેલી મુદત ઓગસ્ટ મહિનામાં પૂરી થઈ રહી હોવાથી સરકાર તેમના સ્થાને નવા સીઇએ નીમવાની વિચારણા કરી રહી છે. નરેન્દ્ર મોદી સરકારની પાંચ વર્ષની મુદત પૂરી થવા આડે માત્ર છ એક મહિના જ બાકી હોવા છતાં સરકાર આર્થિક મુદ્દે સલાહકારના સૌથી મહત્ત્વના હોદ્દા માટે નવો ચહેરો શોધી રહી છે, જેમાં વર્લ્ડ બેન્ક ખાતે અર્થશાસ્ત્રી પૂનમ ગુપ્તાનું નામ મોખરે છે.
વર્લ્ડ બેન્કમાં જોડાતાં પહેલાં તેઓ NIPFP ખાતે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ચેર પ્રોફેસર હતા. આ ઉપરાંત જે અન્ય નામ વિચારણા હેઠળ છે, તેમાં જેપી મોર્ગનના ભારત ખાતેના ચીફ ઇકોનોમિસ્ટ સજ્જિદ ચિનોય અને ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ ખાતે પ્રોફેસર ક્રિશ્નામૂર્તિ સુબ્રમણિયન સામેલ છે.
સરકાર માને છે કે તેની મુદત પૂરી થવાને આરે છે છતાં વૈશ્વિક નરમાઈના સમયમાં મદદ કરવા મુખ્ય આર્થિક સલાહકારની નિયુક્તિ કરવી જરૂરી છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, “અમે નવો ચહેરો શોધી રહ્યા છીએ. કમિટી ઉમેદવારોની ચકાસણી કરી રહી છે.”
આ વર્ષે ઓગસ્ટ મહિનામાં અરવિંદ સુબ્રમણિયનની ચાર વર્ષની મુદત પૂરી થતાં હોદ્દો ખાલી છે. તેમની પ્રારંભિક મુદત ત્રણ મહિના હતી, જેને ૧૨ મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. સરકારે આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર બિમલ જાલાનના વડપણ હેઠળ સર્ચ કમિટીની રચના કરી છે. અગાઉના બે મુખ્ય આર્થિક સલાહકાર રઘુરામ રાજન અને અરવિંદ સુબ્રમણિયન આઇએમએફ અને વર્લ્ડ બેન્કમાં અનુભવ ધરાવતા હતા અને તેમનું બેકગ્રાઉન્ડ એકેડેમિક હતું. જો પુનમ ગુપ્તાની નિમણૂક થશે તો આ ટ્રેન્ડ ચાલુ રહેશે.
આ હોદ્દા પર મે 2014થી ડિસેમ્બર ૨૦૧૫ સુધી ઇલા પટનાઇક પ્રિન્સિપલ ઇકોનોમિક એડ્વાઇઝર રહી ચૂક્યાં છે. તત્કાલીન સીઇએ રઘુરામ રાજન ગવર્નર તરીકે આરબીઆઇમાં નિમાતા અને નવી એનડીએ સરકારે તેમના સ્થાને કોઈ ફુલ ટાઇમ નિયુક્તિ ન કરતા પટનાઇકને નિયુક્ત કરાયા હતા.
]]>
from Page Array – I Am Gujarat https://ift.tt/2DBhoXb
No comments:
Post a Comment