મારું આ સન્માન અમૂલ્ય છે: બચ્ચન

બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનને વડોદરામાં સયાજી રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચને આ સમારંભમાં તેમના પિતા હરિવંશરાય બચ્ચનના જીવન પર લખાયેલી માનવીય ભાવનાઓથી ઓતપ્રોત કવિતા સંભળાવીને લોકોને ભાવુક કરી દીધા. બચ્ચને કહ્યું કે મારું આ સન્માન અમૂલ્ય છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
અમિતાભ બચ્ચને કહ્યું કે વડોદરા મારા ઘર જેવું છે

વડોદરાના એક દિવસીય મહેમાન બનેલા અમિતાભ બચ્ચન સયાજી રત્ન એવોર્ડથી સન્માનિત થઈને ભાવુક થઈ ગયા અને કહ્યું કે વડોદરા તેમના ઘર જેવું છે. આ સમારંભમાં અમિતાભ બચ્ચને તેમના પિતા હરિવંશરાય બચ્ચનના કવિ સંમેલનની વાતો યાદ કરતા કહ્યું કે મારા પિતા હરિવંશરાય બચ્ચન જ્યારે રાત્રે બે-ત્રણ વાગ્યે ઘરે આવતા હતા ત્યારે અમે તેમને પૂછતા હતા કે તમે આટલા મોડા ઘરે કેમ આવો છો તો તેઓ કહેતા હતા કે બેટા પૈસા ખૂબ મોટી વસ્તુ છે.
હું ફિલ્મોમાં એકસમયે 3 શિફ્ટમાં કામ કરતો હતો

અમિતાભ બચ્ચને તેમના જીવનના સંઘર્ષના દિવસોને યાદ કરતા કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ તેઓ ત્રણ શિફ્ટમાં કામ કરતા હતા, ઘણી વખત તો અમિતાભ બચ્ચન રાત્રે 10 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી કામ કરતા હતા અને જ્યારે સવારે ઘરે પહોંચે તો અમિતાભ બચ્ચનને તેમના બાળકો પૂછતા હતા કે પપ્પા તમે મોડા કેમ આવો છો ત્યારે પણ તેઓ બાળકોને કહેતા હતા કે પૈસા ખૂબ મોટી વસ્તુ છે.
માતા-પિતાને ક્યારેય અલગ કરવા જોઈએ નહીં

માતા-પિતા વિશે વાત કરતા અમિતાભ બચ્ચને આ એવોર્ડ સમારંભમાં કહ્યું કે માતા-પિતાના આશીર્વાદ હંમેશાં તેમના બાળકો પર રહેલા હોય છે, અને જે બાળકો તેમના માતા-પિતાની સાથે સારો વ્યવહાર નથી કરતા તેમને શરમ આવવી જોઈએ. બચ્ચને કહ્યું કે જે લોકો માતા અને પિતાને અલગ કરે છે તેઓ ખોટું કામ કરે છે.
No comments:
New comments are not allowed.