Latest

Sunday, November 25, 2018

પેટના દુઃખાવાથી માંડીને માથાનો દુઃખાવો મિનિટોમાં દૂર કરશે જીરા-ગોળનું પાણી

અનેક બીમારીઓમાં રાહત આપશે આ પાણી


ગોળ અને જીરું એવી બે કોમન વસ્તુ છે જે દરેકના રસોડામાં હોય જ. જીરુંનો ઉપયોગ ભોજનને સ્વાદિષ્ટ બનાવવામાં થાય છે. સ્વાદની સાથે સારા સ્વાસ્થ્ય માટે પણ જીરું મહત્વનું માનવામાં આવે છે. ગોળ તમામ પોષક તત્વોથી ભરપુર છે. જીરું અને ગોળના પાણીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બીમારીઓ દૂર થાય છે. આગળ વાંચો જીરા-ગોળનું પાણી કઈ કઈ બીમારીઓમાં લાભદાયી છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

પેટની સમસ્યામાં રાહત


જીરું અને ગોળ બંને પેટની દરેક સમસ્યા દૂર કરવા માટે જાણીતા છે. કબજિયાત, ગેસ, પેટ ફુલવું અને પેટના દુઃખાવા જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે જીરું અને ગોળના પાણીનો નુસખો અજમાવી જુઓ.

દુઃખાવામાં અસરકારક


પીઠ દર્દ અને કમરના દુઃખાવા જેવી સમસ્યાઓના ઈલાજ માટે ગોળ-જીરાનું પાણી મદદરૂપ સાબિત થાય છે. આ સિવાય પીરિયડ્સમાં હોર્મોનલ ફેરફારને કારણે મહિલાઓને ઘણી તકલીફો થાય છે. આ દરેક તકલીફમાં ગોળ-જીરાનું પાણી રાહત આપે છે.

માથાના દુઃખાવામાં રાહત


ગોળ અને જીરાનું પાણી પીવાથી માથાના દુઃખાવામાં ઘણી રાહત મળે છે. જો તમને વારંવાર માથું દુઃખવાની ફરિયાદ હોય તો આ નુસખો અજમાવી શકો છો. માથાના દુઃખાવા સિવાય આ પાણીથી તાવમાં પણ રાહત મળે છે.

રોગપ્રતિકારક શક્તિ વધશે


જીરા-ગોળના પાણીમાં શરીરના ઝેરીલા તત્વો બહાર કાઢવાના પ્રાકૃતિક ગુણ હોય છે. આપણા શરીરમાંથી ગંદકી સાફ કરીને ઈમ્યૂનિટી સ્ટ્રોંગ બનાવે છે. જેથી ઘણી બીમારીઓ સામે રક્ષણ મેળવી શકાય છે.

આ રીતે બનાવો


જીરું અને ગોળનું પાણી બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં 2 કપ પાણી લો. હવે આ પાણીમાં પીસેલો ગોળ અને 1 ચમચી જીરું ઉમેરી ઉકાળી લો. ઉકાળ્યા બાદ આ પાણીને કપ કાઢીને પી શકો છો.

ખાલી પેટે લો


આયુર્વેદાચાર્ય ડૉ. એસ.પી. પાંડેય કહે છે કે, જીરાથી વજન અને ગેસની સમસ્યાને ઘટાડે છે. જ્યારે ગોળ પાચન સુધારે છે. દરરોજ સવારે ખાલી પેટ 1 કપ જીરું-ગોળના પાણીનું સેવન કરવાથી ફાયદો થાય છે.


No comments:

Pages