અર્જુન-મલાઈકાનું અફેર ચર્ચામાં

છેલ્લા ઘણા દિવસોથી અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ચર્ચામાં છે. અટકળો છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. હાલમાં જ ઘણી બધી ઈવેન્ટ્સમાં બંને સાથે જોવા મળ્યા છે. ત્યાર બાદથી જ બંને વચ્ચેની અફેરની અફવાઓએ જોર પકડ્યું છે. અર્જુન અને મલાઈકા એકબીજાના ઘરે પણ આવતા-જતા રહે છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
કપલે ખરીદ્યું ‘સપનાનું ઘર!’

હવે તાજેતરના રિપોર્ટ્સનું માનીએ તો આ કપલે લોખંડવાલા પાસે એક સોસાયટીમાં ફ્લેટ ખરીદ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે બંનેએ આ ફ્લેટમાં ઈન્વેસ્ટ કર્યું છે. રિપોર્ટ પ્રમાણે, આ ઘરનું ઈન્ટીરિયર કામ ચાલી રહ્યું છે અને બંને આ કામ પર ખાસ ધ્યાન આપી રહ્યા છે.
હું સિંગલ નથી: અર્જુન કપૂર

જો કે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે અર્જુન અને મલાઈકા ક્યારે આ ઘરમાં સાથે રહેવા જશે. પરંતુ બંને એકબીજા સાથે ખૂબ સમય વિતાવી રહ્યા છે તે ચોક્કસ છે. દરમિયાન અર્જુન કપૂર કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ 6’માં કહ્યું હતું કે, તે હવે સિંગલ નથી.
‘પાણીપત’ના શૂટિંગમાં વ્યસ્ત

અર્જુનના વર્કફ્રંટની વાત કરીએ તો તે ફિલ્મ ‘પાણીપત’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અર્જુનનો લૂક ઘણો જ અલગ હશે અને લૂક સિક્રેટ રાખવામાં પણ આવી રહ્યો છે. એટલે જ આજકાલ અર્જુન જ્યાં પણ જાય ત્યાં મીડિયાથી ચહેરો છૂપાવતો જોવા મળે છે.
No comments:
New comments are not allowed.