Latest

Thursday, November 29, 2018

રણબીર-આલિયાને દીપિકાએ ન બોલાવ્યા, પણ પ્રિયંકા આમંત્રણ આપશે

દીપવીર બાદ હવે ‘નિક્યાન્કા’ના લગ્ન


દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન બાદ હવે બોલિવૂડ દેસી ગર્લ પ્રિયંકા ચોપરા અને તેના વિદેશી પાર્ટનર નિક જોનાસના લગ્નનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. તેમના લગ્નની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે અને ફેન્સ હવે તેમના સાત ફેરાવાળી ઘડીને જોવા માટે આતુર છે.

2 ડિસેમ્બર ફેરા ફરશે


‘નિક્યાન્કા’ નામથી ફેમસ આ કપલ થોડા સમય પહેલા જ જોધપુર પહોંચી ગયું છે અને એરપોર્ટ પર તેમનો હાથમાં હાથ પરોવેલો ફોટો આવતાની સાથે વાયરલ થઈ ગયો છે. 2 ડિસેમ્બરે ઉમેદ ભવન પેલેસ ખાતે થનારા આ વેડિંગની તમામ તૈયારી થઈ ચૂકી છે પણ તે પહેલા આ કપલ મહેંદી, સંગીત, હલ્દી જેવી પ્રી-વેડિંગ સેરેમનીઝમાં ભાગ લેશે અને તેમણે પોતાના મહેમાનો માટે કોકટેલ પાર્ટીનું પણ આયોજન કર્યું છે.

રણબીર-આલિયા, ભણસાલીને ઈન્વિટેશન


લગ્ન બાદ તરત જ પ્રિયંકા અને નિક દિલ્હીમાં પોતાના નજીકના મિત્રો અને પરિવાર માટે રિસેપ્શનનું આયોજન કરશે. જોકે, રિપોર્ટ્સમાં વધારે ફોકસ એ વાત પર કરવામાં આવ્યું છે કે, આ રિસેપ્શનમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટને ઈન્વિટેશન આપવામાં આવ્યું છે. રિપોર્ટ આ ઉપરાંત ‘રામલીલા’ અને ‘બાજીરાવ મસ્તાની’ના ડિરેક્ટર સંજય લીલા ભણસાલીને પણ પ્રિયંકાએ પોતાના રિસેપ્શનનું આમંત્રણ આપ્યું છે.

લગ્નમાં મોબાઈલ અલાઉડ નહીં


બીજી તરફ, ઉમેદ ભવન પેલેસની આજુબાજુ સિક્યોરિટી તેનાત કરી દેવાઈ છે અને કપલે પોતાના વેડિંગ વેન્યૂ પર મોબાઈલ ફોન્સ બેન કરાવી દીધા હોવાનું જાણવા મળ્યું છે.


No comments:

Pages