Latest

Monday, November 5, 2018

તમને પગથી માથા સુધી બ્યુટીફુલ બનાવી શકે છે આ ચીજ, જાણો કેવી રીતે ઉપયોગ કરશો

વિનેગરઃ


વિનેગર કે સરકો એક એવી ચીજ છે જે લગભગ દરેક રસોડામાં જોવા મળે છે. પનીર બનાવવાથી માંડીને વિવિધ સલાડ કે સૂપમાં ઉમેરવા સુધી, વિનેગર અનેક રીતે રસોઈમાં ઉપયોગી છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે વિનેગરને જ્યારે બેકિંગ સોડામાં મિક્સ કરવામાં આવે તો તે ક્લીનીંગ એજન્ટ તરીકે કામ કરે છે. તેમાં મીઠુ ઉમેરી દો તો ઈન્ફેક્શન ફેલાવનારા દરેક તત્વોને તે જડમૂળથી દૂર કરી શકે છે. જ્યારે તેને શુગર સાથે મિક્સ કરવામાં આવે તો તે ધાતુની કોઈપણ ચીજને ચમકાવી દે છે. સૌથી નવાઈની વાત એ છે કે તમે તમારુ સૌંદર્ય નિખારવા માટે પણ વિનેગરનો ઉપયોગ કરી શકો છો. તેના આ ઉપયોગ જાણીને તમને પણ નવાઈ લાગશે.

સનબર્ન દૂર કરેઃ


હવે સૂર્યપ્રકાશથી સ્કિનને કાળી પડી જતી બચાવવા તમારે સનસ્ક્રીનની જરૂર નથી. તેનામાં ત્વચાના pH લેવલને રિસ્ટોર કરવાની ક્ષમતા રહેલી છે. આથી જો બાથ ટબમાં વિનેગરનો એક કપ ઉમેરી નહાશો તો થોડા જ દિવસમાં તમને રિઝલ્ટ જોવા મળશે.

ચહેરા પર ડાઘ-ધબ્બા દૂર કરેઃ


એપલ સિડાર વિનેગરમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ ફંગલ તત્વો રહેલા હોય છે જે કીટાણુ અને બેક્ટેરિયા સામે રક્ષણ કરે છે. જો તમને ખીલ થયા હોય કે મોં પર ડાઘ પડ્યા હોય તો તે જગ્યાએ આ વિનેગર લગાવી દો, તમને દેખીતો ફરક જોવા મળશે.

ત્વચાને ચમકદાર બનાવેઃ


વિનેગરમાં આલ્ફા હાઈડ્રોક્સિલ એસિડ હોય છે જે તમારા ચહેરા પરથી મૃત કોષો દૂર કરે છે. આ કારણે વિનેગર લગાડ્યા બાદ તમારી સ્કિન વધુ ચમકદાર અને યુવાન દેખાવા માંડે છે.

કરચલીઓ ઓછી કરેઃ


વિનેગરમાં પાણી ઉમેરીને તેને ચહેરા પર લગાવશો તો તે ચહેરા પર દેખાતી કરચલીઓ દૂર કરવામાં મદદ કરશે.

ત્વચાની સુંદરતા નિખારેઃ


વિનેગરમાં રહેલા તત્વો ત્વચામાં બ્લડ ફ્લોને વધારે છે અને pH લેવલ કાબુમાં લઈને ત્વચાના ખુલ્લા પોર્સ ઓછા કરી દે છે જેને કારણે ત્વચામાં કોઈ કચરો હોય તો તે નીકળી જાય છે, ત્વચા શુદ્ધ અને ચમકદાર લાગે છે.

વાળ ચમકદાર બનાવવાઃ


વિનેગરને ડાઈલ્યુટ કરીને માથામાં લગાવી દો અને 10 મિનિટ રાખો. ત્યાર પછી વાળ ધોઈ નાંખો. વિનેગરમાં રહેલા એસેટિક એસિડના કારણે વાળ સ્વસ્થ અને ચમકદાર બને છે.

એડી ફાટી ગઈ હોય તોઃ


દહીંમાં વિનેગર મિક્સ કરો તો તે શરીરના ડેડ સ્કિન સેલ્સને દૂર કરે છે. આથી એડી ફાટી ગઈ હોય તો તેમાં આ મિશ્રણ લગાવશો તો તેના એન્ટિબેક્ટેરિયલ અને મોઈશ્ચરાઈઝિંગ ગુણોને કારણે એડી ફરી સુંદર બની જશે.

ડિઓડરન્ટ તરીકેઃ


વિનેગરમાં રહેલુ એસિડ શરીરની દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે અને શરીરમાં બેક્ટિરિયા વિકસતા અટકાવે છે.

મચ્છર કરડ્યું હોય તોઃ


વિનેગરમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિફંગલ તત્વો રહેલા હોય છે. તેને કારણે મચ્છર કે જંતુ કરડી ગયા હોય તો તેને કારણે સોજો આવે કે ખંજવાળ આવતી હોય તેમાં રાહત મળે છે. રૂનું પૂમડુ વિનેગરમાં બોળીને જે જગ્યાએ મચ્છર કે જીવડુ કરડ્યુ હોય ત્યાં લગાવશો તો તરત જ રાહત મળી જશે.

ડેન્ડ્રફ દૂર કરેઃ


પાણી અને વિનેગર એક સરખા પ્રમાણમાં લો. તમારા વાળ ભીના કરો અને પછી શેમ્પુ પહેલા આ મિશ્રણ તમારા માથમાં લગાવી દો. વિનેગરમાં એન્ટિ ફંગલ તત્વો રહેલા હોય છે જે ડેન્ડ્રફ દૂર કરવમાં મદદ કરે છે. તેમાં રહેલા એસિડિક તત્વો માથાના pH લેવલને જાળવી રાખવામાં મદદરૂપ બને છે.

No comments:

Pages