Latest

Monday, November 5, 2018

NBFCએ લોંગ-ટર્મ ફંડિંગ માટે PE ફંડ્સનો સંપર્ક સાધ્યો



66509801

ઇન્દુલાલ પીએમ/સૈકત દાસ

મુંબઈ:તરલતાની અછતની સમસ્યામાંથી બહાર નીકળીને ટકી રહેવાના પ્રયાસ કરી રહેલા ભારતની કેટલીક નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓએ (NBFCs) લોંગ-ટર્મ ફાઇનાન્સ મેળવવા વિશ્વના અગ્રણી પ્રાઇવેટ ઇક્વિટી (PE) ફંડ્સનો સંપર્ક સાધ્યો છે.

તરલતાના અભાવે આ NBFCsએ લોન આપવાનું પણ બંધ કરી દીધું છે. જે રોકાણકારોનો સંપર્ક સાધવામાં આવ્યો છે તેમાં અબજોપતિ રોકાણકાર વિલ્બર રોસની WL રોસ & કો, વલ્ચર ઇન્વેસ્ટર ઓક ટ્રી કેપિટલ, બ્લેકસ્ટોન ગ્રૂપ, એવરસ્ટોન, કાર્લાઇલ અને KKR સહિતનાં ફંડ્સનો સમાવેશ થાય છે એમ પરિચિત સૂત્રોએ ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું હતું.

જે NBFCs રોકાણ મેળવવા માંગે છે તેમાં એડલવાઇસ ગ્રૂપ અને DHFL જેવાં મોટાં નામથી લઈને ટોપ-થ્રી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અને વિશાળ કોર્પોરેટ જૂથની નોન-બેન્કિંગ ફાઇનાન્સ પેટાકંપનીઓનો સમાવેશ થાય છે. જે કંપનીઓ પાસે પૂરતી માત્રામાં ફંડ છે તે પણ ભવિષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર રહેવા માંગે છે.

KKRના પ્રવક્તાએ તેની પબ્લિક રિલેશન એજન્સી મારફતે જણાવ્યું હતું કે, “KKRએ ભારતની ઉચ્ચ ગુણવત્તા ધરાવતી NBFCsને ક્રિયેટિવ કેપિટલ સોલ્યુશન્સ પૂરાં પાડીને મદદરૂપ થવા માટે સક્રિયપણે મંત્રણા હાથ ધરી છે અને બેન્કો સાથે ભાગીદારી કરીને પોર્ટફોલિયો ખરીદવા અંગે મૂલ્યાંકન કરવા માટે સ્વતંત્ર બેન્કો સાથે પણ વાટાઘાટ ચાલી રહી છે.” એડલવાઇસ અને DHFLને મોકલેલા ઇ-મેઇલ્સનો કોઈ જવાબ આવ્યો નથી જ્યારે બ્લેકસ્ટોન, કાર્લાઇલ અને TPGએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

TPG, કાર્લાઇલ, KKR અને એવરસ્ટોન જેવાં ફંડ્સ તો પહેલેથી જ ભારતના નોન-બેન્કિંગ ફાઇનાન્સ માર્કેટમાં જંગી રોકાણ ધરાવે છે જ્યારે વિલ્બર રોસ અને ઓક ટ્રી જ્યારે નાણાકીય સંસ્થાઓને મૂડીની જરૂરિયાત ઊભી થાય ત્યારે રોકાણની તક શોધતા રહે છે.

સૂત્રોના કહેવા પ્રમાણે, “માત્ર નાનાં ફંડ્સ જ નહીં પરંતુ મોટાં ફંડ્સ અને રોકાણકારોનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે, જેથી લોંગ-ટર્મ ફાઇનાન્શિયલ સંસાધનો મળી રહે. બેન્કોએ ધિરાણ ધીરવાનું બંધ કરી દીધું છે અને અન્ય ફાઇનાન્શિયલ સાધનો પણ કારગત નીવડી રહ્યાં નથી, આથી PE રોકાણ એકમાત્ર વિકલ્પ બચ્યો છે.”

]]>



from Page Array – I Am Gujarat https://ift.tt/2qs067f

No comments:

Post a Comment

Pages