શું માગ્યું રામ રહિમ અને હનીપ્રિતે?
ચંદીગઢઃ દુષ્કર્મના કેસમાં આરોપી અને ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહિમ તથા તેની દત્તક દીકરી હનીપ્રિતસિંહે જેલ તંત્રને પોતાની માગને લઈને ખાસ પત્ર લખ્યો છે. ગુરમીતસિંહે પત્રમાં ખાસ સ્પષ્ટતા કરી છે કે, તેને જેલ પરિસરમાં મોબાઈલનો ઉપયોગ કરવા દેવામાં આવે. આ માટે તેને મંજૂરી પણ માગી છે. આ ઉપરાંત પરિજનોને મળવાના સમયમાં પણ થોડો વધારો કરવામાં આવે એવી ડિમાન્ડ કરી છે. અંબાલાની જેલમાં કેદ હનીપ્રિતસિંહે બીજી કોઈ જેલમાં શિફ્ટ થવા માટેની અરજી કરી છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે અહીં ક્લિક કરો
જેલ અધિકારીએ કરી આ સ્પષ્ટતા

ગુરમીતને તા. 25 ઓગસ્ટ 2017ના રોજ પંચકુલાની સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટે દુષ્કર્મના કેસમાં દસ વર્ષ સુધી જેલવાસની સજા ફટકારી છે. હાલ તે રોહતકની સુનારિયા જેલમાં કેદ છે. ગુરમીતને સજાનું એલાન થતા પંચકુલામાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા પાછળ હનીપ્રિતે કાવતરું ઘડ્યું હોવાના આરોપ છે. સતત બે મહિના સુધી ફરાર રહ્યા બાદ તા. 4 ઓક્ટોબર 2017ના રોજ હનીપ્રિતની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેને અંબાલા જેલમાં કેદ કરવામાં આવી છે. હરિયાણાના જેલના ઉચ્ચ અધિકારી કૃષ્ણલાલ પંવારે કહ્યું કે, હનીપ્રિતે જે અરજી કરી છે તેનો અધિકાર દરેક કેદીને હોય છે.
હનીપ્રિત અંબાલા જેલમાં નથી રહેવા માગતી

તેના પત્ર પર વિચારણા કરવામાં આવશે. આ મામલે હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જ્યારે ગુરમીતની માગ પર કહ્યું કે, અત્યારે જેલ તંત્ર અને સ્થાનિક વિભાગ પાસેથી જવાબ માગવામાં આવ્યો છે. ગુરમીત હાલમાં સંપૂર્ણ સ્વસ્થ છે અને જેલમાં કામ કરી રહ્યો છે. હનીપ્રિત અંબાલા જેલમાં રહેવા માગતી નથી. જોકે, આ અંગે કેટલાક પોલીસ વેરિફિકેશન કર્યા બાદ જ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2RSDhoV
No comments:
Post a Comment