Latest

Wednesday, November 14, 2018

લગ્નની આ અજાણી પરંપરાઓને તમે ક્યારેય નહીં સાંભળી હોય!

ભારતીય લગ્નની અજાણી પરંપરાઓ

દુનિયામાં જો લગ્ન પાછળ સૌથી વધુ ધૂમધામ અને ખર્ચ કરવામાં આવે છે તો તે છે ભારત… અહીં લગ્ન હોય એટલે તેના વેન્યુથી લઈને કપડા, ઘરેણા, ખાણીપીણી વગેરે વગેરે અનેક ધામધૂમ કરવામાં આવે છે. આ જ કારણે દુનિયામાં ભારયી લગ્નોને બિગ ફેટ ઇન્ડિય વેડિંગ કહેવાય છે. પરંતુ આજે આપણે વાત કરીશું ભારતના અલગ અલગ પ્રાંત અને રાજ્યોમાં લગ્ન સાથે જોડાયેલ અજાણ્યા રિવાજોની જેને તમે ક્યારેય સાંભળ્યા નહીં અને જાણીને આશ્ચર્ય થશે.

વરની માતા નથી જોતી લગ્ન

બંગાળી લગ્નમાં વરની માતા લગ્ન નથી જોતી એવું માનવામાં આવે છે કે તેને નવ દમ્પતી માટે અપશુકન કહેવાય છે.

મંડપમાંથી ભાગવાનું નાટક કરે છે વરરાજા

એવું કહેવામાં આવે છે કે તમિલ લગ્નમાં વરરાજો સન્યાસી બનવા મંડપમાંથી ભાગવાનું નાટક કરે છે અને છોકરીના પિતા તેને રોકવાનો પ્રયાસ કરે છે.

વરરાજાનું નાક ખેંચવામાં આવે છે

ગુજરાતી લગ્નોમાં વરરાજાની સાસુ તેની આરતી ઉતાર્યા બાદ તેનું નાક ખેચે છે. આ રિવાજને પોખવું કહેવામાં આવે છે.

વરરાજના કપડા ફાડવામાં આવે છે

સિંધીના લગ્નમાં તેના મિત્રો અને પરિવારવાળા વરરાજાના કપડા ફાડી નાખે છે. જે તેના જૂના જીવનના અંત અને નવા જીવનની શરુઆતને દર્શાવે છે.

જવાબદારી શિખડાવવાની અનોખી પરંપરા

બિહારમાં લગ્નમાં કન્યાને માથા પર એકથી વધારે ઘડા રાખી તેનું બેલેન્સ સાચવતા સાચવતા પરિવારના મોટા લોકોને પગે લાગવાનું કહેવામાં આવે છે. આ રિવાજ દ્વારા તેને સમજાવાય છે કે હવે તેણે એક સાથે અનેક જવાબદારીઓ વચ્ચે સમતૂલા જાળવીને નિભાવાની છે.

મંદિરથી પાણી લાવે છે કન્યાની માતા

પંજાબી લગ્નોમાં કન્યાની માતા પાસે આવેલ મંદિરમાંથી પાણી લાવે છે. આ પાણીથી નહ્યા બાદ જ કન્યા લગ્નના કપડા પહેરે છે.

ટમેટાથી થાય છે જાનનું સ્વાગત

ઉત્તરપ્રેદશના સરસોલ ખાતે વરરાજા અને જાનનું સ્વાગત તેમના પર ટમેટા ફેંકીને કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી બંને પરિવાર વચ્ચેના નવા સંબંધને મજબૂતી મળે છે.

વરરાજાનો કાન ખેચે છે સાળો

મરાઠી લગ્નમાં કન્યાનો ભાઈ વરરાજાનો કાન ખેચીને તેને પોતાની બહેનનું ધ્યાન રાખવા માટે સમજાવે છે.

સફેદ ઝંડો લઈને જાય છે વરરાજા

કુમાઉંના લગ્નમાં પરંપરા છે કે જાન પોતાની સાથે વરરાજાનો સફેદ ઝંડો લઈને જાય છે. જે વિદાઈ સમયે કન્યાના લાલ ઝંડો આગળ થઈ જાય છે અને વરરાજાનો સફેદ ઝંડો પાછળ રહે છે.

તળાવમાં માછલી છોડવામાં આવે છે

મણિપુરમાં લગ્ન પછી નવવિવાહિત દંપત્તિ પાસેના તળાવમાં માછલીઓના જોડાને છોડે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી કપલની આવનારું વૈવાહિક જીવન સુખમય પસાર થાય છે.

માળાઓની અદલા-બદલી થાય એટલે લગ્ન થઈ ગયા

આસામની રાભા લગ્ન પરંપરામાં ગાંધર્વ વિવાહની જેમ ફક્ત માળાઓની અદલા બદલી થવાથી પણ લગ્ન માન્ય ગણવામાં આવે છે.

સંબંધીઓને દેખાડે છે ગિફ્ટ્સ

રાજસ્થાનના કેટલાક ભાગમાં વર અને કન્યાના પરિવાર તેમણે ખરીદેલી તમામ વસ્તુઓ અને ગિફ્ટ્સ સગા-સંબંધીઓને દેખાડે છે. આ રિવાજને દિખાવા કહેવાય છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2TdafSh

No comments:

Post a Comment

Pages