Latest

Wednesday, November 14, 2018

રોકડની અછત અઢી વર્ષમાં સૌથી ખરાબ



66615747

સૈકત દાસ

મુંબઈ:બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી અથવા રોકડની અછત અઢી વર્ષમાં સૌથી ખરાબ સ્થિતિમાં પહોંચી છે. તહેવારની સીઝનમાં ફંડની ભારે ડિમાન્ડ હતી ત્યારે એનબીએફસી પાસેથી ધિરાણ ઘટી ગયું હતું. બેન્કો પાસે પણ નાણાં ન હોવાના કારણે તેણે ઉછીનું ફંડ મેળવવાનું ચાલુ રાખ્યું હતું.

ચાલુ વર્ષમાં 8 ઓક્ટોબરથી એક મહિના દરમિયાન દૈનિક નેટ બોરોઇંગનું પ્રમાણ ₹71.000 કરોડથી ₹1.4 લાખ કરોડ વચ્ચે હતું તેમ બ્લૂમબર્ગના આંકડા દર્શાવે છે ઓક્ટોબર 2015 અને જૂન 2016 વચ્ચે સૌથી લાંબા ગાળા માટે આ ખાધ સૌથી વધારે હતી.

બેન્કો દ્વારા લિક્વિડિટી એડ્જસ્ટમેન્ટ ફેસિલિટી મારફત ઋણ લેવામાં વધારો થયો હતો. પરંતુ ઇન્ટરબેન્ક માર્કેટે હજુ એટલો તણાવ દર્શાવ્યો નથી કારણ કે ઓવરનાઇટ કોલ મની રેટ આરબીઆઇના રેપો રેટની નજીક છે. એક્સિસ બેન્કના ચીફ ઇકોનોમિસ્ટ સૌગાતા ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં સિસ્ટમ લિક્વિડિટી શોર્ટેજ સામાન્ય કરતાં વધુ ચુસ્ત હતી. એક શક્યતા એ છે કે સરકારે વધારે ટેક્સ રેવન્યુ મેળવી છે અને આરબીઆઇ પાસે તે જંગી બેલેન્સ ધરાવે છે. તેણે પગાર સિવાયનાં નાણાં ડિસ્બર્જ કર્યા નથી.

તેમણે જણાવ્યું કે, “અન્ય એક શક્યતા બેન્કોમાં વિશાળ ડિપોઝિટ ઈનફ્લોના કારણે આરબીઆઇ પાસે વધારે મોટી બેન્ક સીઆરઆર ડિપોઝિટની છે. નોન બેન્કિંગ સોર્સ તરફથી ફંડ આ તરફ વળ્યું હોવાના કારણે ક્રેડિટમાં વધારો તેનું એક કારણ હોઈ શકે છે. કેશ રિઝર્વ રેશિયો અથવા સીઆરઆર એ બેન્કો પાસે રહેલી કુલ ડિપોઝિટનો અમુક હિસ્સો છે જેને અલગ રાખવામાં આવે છે. હાલમાં તે ચાર ટકા છે. ડિપોઝિટ બેઝમાં વધારો કરવામાં આવે તો બેન્કોએ રેગ્યુલેટરી મેટ્રિક માટે વધારે ફાળવણી કરવી પડશે.

22 ઓક્ટોબરના રોજ તે ₹1.4 લાખ કરોડ સુધી પહોંચ્યું હતું. એનબીએફસીને મ્યુચ્યુઅલ ફંડ પાસેથી નાણાં એકત્ર કરવામાં મુશ્કેલી પડી રહી હોવાથી બજારમાં બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટીની અછત વધારે વ્યાપક થઈ છે.

મ્યુચ્યુઅલ ફંડ્સ એનબીએફસીમાં નવું રોકાણ કરતા ખચકાય છે. ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના એસોસિયેટ ડિરેક્ટર સૌમ્યજિત નિયોગીએ જણાવ્યું કે, “તહેવારના કારણે ફંડની ઉપલબ્ધતામાં ખાધ પેદા થઈ હોવાથી ઓક્ટોબરમાં કેશ હોલ્ડિંગ અને નેન એફપીઆઇ આઉટફ્લોમાં વધારો થયો હતો. બેન્કિંગ ક્રેડિટમાં અમુક પિક અપ જોવા મળ્યું છે. એનબીએફસીની ચિંતાએ પણ સમસ્યાને વધુ ગંભીર બનાવી હતી. બજારમાં કોન્ફિડન્સ અને સામાન્ય સ્થિતિનો અભાવ હોવાથી ક્રેડિટ માર્કેટ માટે સારી સ્થિતિ નથી. વ્યાજના દર વધુ ચુસ્ત બને તો ક્રેડિટ વિસ્તરણને અસર થવાની શક્યતા છે.

નોન-બેન્ક્સ દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા લગભગ એક લાખ કરોડ રૂપિયાના પેપર્સ મેચ્યોર થઈ રહ્યા હોવાથી રોકડની ઉપલબ્ધતાને અસર થઈ છે. 26 ઓક્ટોબરે પૂરા થયેલા પખવાડિયામાં બેન્ક લોનમાં 14.4 ટકાના તંદુરસ્ત દરે વધારો થયો હતો જે પાંચ વર્ષમાં સૌથી સારો દેખાવ હતો.

ઓક્ટોબરમાં એફપીઆઇએ ₹38,906 કરોડની સ્થાનિક ડેટ સિક્યોરિટી અને ઇક્વિટીનું વેચાણ કર્યું હતું જે ચાલુ કેલેન્ડ વર્ષમાં સૌથી ઊંચો માસિક આઉટફ્લો હતો તેમ નેશનલ ડિપોઝિટરી સિક્યોરિટીઝના આંકડા દર્શાવે છે. મિરેઇ એસેટ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ખાતે ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટના વડા મહેન્દ્ર કુમાર જાજૂએ જણાવ્યું કે ફોરેક્સ રિઝર્વમાં થયેલો તીવ્ર ઘટાડો સ્થાનિક ઇક્વિટી પર પ્રભાવ પાડે છે.

]]>



from Page Array – I Am Gujarat https://ift.tt/2zRMTZP

No comments:

Post a Comment

Pages