Latest

Monday, November 19, 2018

વૃશ્ચિક રાશિમાં ગુરુ અસ્તનો હોવાથી નહીં થાય માંગલિક કાર્યો

વૃશ્ચિક રાશિમાં 6 ડિસેમ્બર સુધી નહીં થાય માંગલિક કાર્ય

સોમવારે દેવઊઠી અગિયારસ છે અને આ દિવસથી લગ્નો તેમજ શુભ કાર્યોનો પ્રારંભ થતો હોય છે. આ દિવસથી હિન્દુ ચાર્તુમાસની પૂર્ણાહૂતિ થતા લગ્ન જેવા માંગલિક કાર્યોનો શુભારંભ થતો હોય છે. પરંતુ, હાલમાં ગોચરનો ગુરુ વૃશ્ચિક રાશિમાં અસ્તનો ચાલતો હોવાથી 6 ડિસેમ્બર સુધી કોઈપણ માંગલિક કાર્ય કરી શકાશે નહીં. કારણકે, કોઈપણ શુભ કાર્યમાં ગુરુ ગ્રહનું બળ હોવું જરૂરી છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

સોમવારે દેવઊઠી અગિયારસ, શુભ કાર્યો માટેનો દિવસ

આ સાથે જ વિશેષરૂપે આ દિવસે ઠાકોરજીની સેવા, દર્શન, ગાયોને ઘાસ ખવડાવવું, પશુ-પંખીને ચણ નાખવું તેમજ ભિક્ષુકને દીપદાન કરવાનું પણ મહત્ત્વ રહેલું છે. સોમવારે કારતક સુદ 11 આવે છે, જે વિક્રમ સંવત 2075ની પ્રથમ એકાદશી છે. આ એકાદશીનું વિશેષ મહત્ત્વ પુષ્ટિ સંપ્રદાય, જ્યોતિષ શાસ્ત્ર તથા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઋષિમુનિઓએ સમજાવ્યું છે.

આજના દિવસે કોઈની પણ નિંદા કરવી નહીં

આજના દિવસે ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’નો જપ અવિરત કરવો તેમજ વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવો અને આ દિવસે કોઈની પણ નિંદા કરવી નહીં અને ખોટું બોલવું નહીં. ફક્ત ફળાહાર અને દૂધ પર જ દિવસ પૂરો કરવો. આ ઉપરાંત ઠાકોરજીને દહીંમાં પલાળેલી મખાણાની વાનગી અર્પણ કરવી જોઈએ.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2BgNUwg

No comments:

Post a Comment

Pages