Latest

Monday, November 19, 2018

નખ પરથી જાણો ભવિષ્ય, બીમારી આવશે કે પછી બનશો માલામાલ

નખ પર અલગ અલગ નિશાન

સમુદ્ર શાસ્ત્રમાં આપણા શરીર પર બનતાં તલ અને નિશાનના મહત્વ વિશે જણાવવામાં આવ્યું છે. જે રીતે આપણાં શરીરના વિભિન્ન અંગો પર નિશાનનો અર્થ હોય છે એ રીતે આંગળીઓના નખ પર બનેલા સફેદ ધબ્બાઓનો પણ આપણા જીવનમાં પ્રભાવ પડે છે. તમે પણ નખ પરથી પોતાનું ભવિષ્ય જાણી શકો છો. જોકે, ચિકિત્સા વિજ્ઞાન અનુસાર નખ પર નિશાન હોવા એ લોહીની ઉણપને દર્શાવે છે. આવો જાણીએ નખ પર નિશાન જીવન પર શું અસર પાડે છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

અંગુઠા પર નિશાનનું મહત્વ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અંગુઠા પર સફેદ નિશાન હોય તો એવું માનવામાં આવે છે કે જીવનમાં કોઈ નવું દોસ્ત આવવાનો છે. તમને કોઈ વ્યક્તિ ગિફ્ટ આપવાનું છે.

તર્જની પર નિશાનનું મહત્વ


જો તમારી તર્જની આંગળી એટલે કે અંગુઠાની પાસે રહેલી આંગળી પર નિશાન હોય તો તે તમારા માટે શુભ છે. તમને બિઝનેસ અથવા નોકરીમાં લાભ થશે. આ ઉપરાંત વ્યક્તિના માન સન્માનમાં પણ વૃદ્ધિ થશે.

વચ્ચેની આંગળી પર નિશાન


જો તમારી વચ્ચેની આંગળી પર સફેદ નિશાન હોય તો તમારા બહાર જવાના યોગ છે. જો તમારા નખ પર કોઈ કાળું નિશાન છે તો તમારાથી કોઈ નારાજ થઈ શકે છે.

કનિષ્ઠા પર નિશાનનું મહત્વ


જો સફેદ નિશાન નાની આંગળી એટલે કે કનિષ્ઠા પર છે. તો તમને બિઝનેસ અને નોકરીમાં આગળ આવવાના ચાન્સ રહેલાં છે. આ સાથે જ તમને વિજ્ઞાનમાં પણ સફળતા મળવાની છે. જો કાળું નિશાન છે તો તમારો રસ્તો અડચણ અને પરેશાની ભર્યો હોય શકે છે.

અનામિકા પર નિશાનનું મહત્વ


અનામિકા આંગળી એટલે કે નાની આંગળીની પાસે રહેલી આંગળીમાં સફેદ નિશાન હોય તો તમારા માટે સૌભાગ્યશાળી ગણવામાં આવે છે. જેનો મતલબ થાય છે કે તમને સન્માન મળશે અને યશ તેમજ પ્રતિષ્ઠામાં વધારો થશે. જોકે, જો કાળું નિશાન હોય તો તેનો મતલબ એ કે તમારા સન્માનમાં ઉણપ આવી શકે છે.

No comments:

Pages