Latest

Monday, November 19, 2018

વજન ઘટાડવુ છે? આટલુ વાંચીને તમે રોજ જમવામાં અથાણુ ખાતા થઈ જશો

અથાણુઃ

અથાણાને ભારતીય ભોજનથી અલગ ન કરી શકાય. તે ખારા, ખાટા અને મીઠાનો એક ટેસ્ટી સમન્વય છે. ભારતમાં શાકભાજીથી માંડીને જુદા જુદા ફળના પણ અથાણા બને છે. ભારતમાં ડૂબોડૂબ તેલમાં અથાણા બને છે જ્યારે પાશ્ચાત્ય દેશોમાં અથાણામાં પ્રિઝર્વેટિવ તરીકે વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે.

પાચનની સમસ્યા દૂર કરેઃ

તમે જો આમળાનું અથાણુ રોજ જમવામાં ખાશો તો તમને પાચનતંત્રને લગતી સમસ્યા ક્યારેય નહિં નડે. મીઠુ નાંખી આથેલા જે અથાણા હોય છે તે શરીરમાં સારા બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે અને હાનિકારક બેક્ટેરિયાની સંખ્યા ઘટાડે છે જેને કારણે પાચનતંત્ર સુધરે છે.

ફાઈબર પુષ્કળ માત્રામાં હોયઃ

જે ફળ અને શાકભાજી અથાણા બનાવવા વપરાય છે તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. આ ઉપરાંત તેમાં વિટામિન એ અને સી પણ સારા પ્રમાણમાં હોય છે.

લિવર માટે સારુઃ

આમળામાંથી બનેલા અથાણામાં અમુક હિપેટોપ્રોટેક્ટિવ તત્વો હોય છે જે લિવરની રક્ષા કરે છે અને તેને હીલ કરે છે.

અલ્સર દૂર કરેઃ

આમળાનું અથાણુ અથવા તો લીંબુનું અથાણુ પેટમાં પડેલા ચાંદા મટાડવામાં મદદ કરે છે અને હાઈપર એસિડીટી દૂર કરે છે.

પ્રેગનેન્સી દરમિયાન ફાયદાકારકઃ

જગર્ભાવસ્થા દરમિયાન અથાણુ ખાવાનું વૈજ્ઞાનિક કારણ છે. તે શરીરમાં એસિડીટી ઓછી કરે છે અને મોર્નિંગ સિકનેસ દૂર કરે છે.

પાચન મજબૂત બનાવેઃ

અથાણામાં રહેલુ વિનેગર શરીરની પાચનશક્તિ વધારે છે. આથી જો તમે રોજ ખાશો તો તમે જે ખોરાક ખાશો તે બધો જ પચી જશે.

વજન ઉતારવામાં મદદ કરેઃ

ઘરે બનાવેલા અથાણામાં પ્રોબાયોટિક્સ રહેલા હોય છે. તે આપણા પેટમાં રહેલા માઈક્રોબાયોટાને રિસ્ટોર કરે છે જેને કારણે ચરબી ફટાફટ બળવા માંડે છે. વળી તે ઈન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે. આથી ડાયાબિટીસ હોય તેમણે ખાસ અથાણા ખાવા જોઈએ.

રોગપ્રતિકારક શક્તિ વધારેઃ

અથાણામાં રહેલા સારા બેક્ટેરિયામાં એન્ટિ માઈક્રોબિયલ તત્વો રહેલા હોય છે જે ખરાબ બેક્ટેરિયાને મારે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારી રોગોને દૂર જ રાખે છે.



from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2QZsJ7C

No comments:

Post a Comment

Pages