Tulsi Vivah

કારતક સુદ અગિયારસના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. આ વિવાહ કરવાથી ઘણાં જન્મોના પાપ દૂર થાય છે. આ દિવસે વ્રત રાખવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ વખતે આ તહેવાર 20 નવેમ્બરના દિવસે મંગળવારે આવેછે. આ અનુષ્ઠાન કારતક સુદ નોમથી શરુ થઈ જાય છે અને તુલસી વિવાહ સુધી અખંડ દીપ કરવાનો હોય છે.
ભગવાન વિષ્ણુ અને તુલસીના લગ્ન

અહીં શાલિગ્રામ એટલે વિષ્ણુ ભગવાનનું પ્રતિરુપ છે અને તુલસી વિષ્ણુ પ્રિયા છે. બન્ને બન્નેના વિવાહનો આધ્યાત્મિક અર્થ એ છે કે, તુલસી પૂજા વગર શાલિગ્રામની પૂજા નથી કરાતી. આવો જાણીએ તુલસી વિવાહનું મહત્વ.
તુલસી વિવાહનું જીવનમાં મહત્વ

1. તુલસી વિવાહ કરાવનારે કન્યાદાનને બરાબર ફળ પ્રાપ્ત થાય છે.
2. જેમના દાંપત્ય જીવનમાં તકલીફો છે તે લોકો સુખી દાંપત્ય જીવન માટે તુલસી વિવાહ કરાવી શકે છે.
3. જે લોકો પ્રેમમાં છે પણ વિવાહ નથી થઈ શકતા તે લોકો પણ તુલસી વિવાહ કરી શકે છે.
4. તુલસી વિવાહ કરાવવાથી ઘણાં જન્મોના પાપ નષ્ટ થાય છે.
5. તુલસી પૂજા કરાવવાથી ઘરમાં સંપન્નતા આવે છે તથા સંતાન પ્રાપ્તિ થાય છે.
તુલસી વિવાહની વિધિ

તુલસી વિવાહમાં તુલસીના છોડને લાલ ચુંદડી ઓઢાડીને લાલ મંડપથી સજાવવામાં આવે છે. શાલિગ્રામજીની કાળી મૂર્તિ હોવી જોઈએ. જો આવું ના થઈ શકે તો વિષ્ણુ ભગવાનની મૂર્તિ લઈ શકાય છે. ગણેશ પૂજા પછી વાજતે-ગાજતે શાલિગ્રામજીની પધરામણી કરાય છે. અહીં તુલસીજીની આરાધના કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને આવાહન કરાય છે. ભગવાન વિષ્ણુ કે શાલિગ્રામજીની પ્રતિમામાં પ્રાણ પ્રતિષ્ઠા કરાય છે. વિષ્ણુજીને પીળા વસ્ત્રો ધારણ કરાવીને દહીં, ઘી, ખાંડ તેમને સમર્પિત કરવામાં આવે છે. દૂધ અને હળદરનો લેપ કરીને શાલિગ્રામ અને તુલસીને ચઢાવવામાં આવે છે. વિવાહની વિધિ પછી શાલિગ્રામ અને તુલસીજીના સાત ફેરા પણ કરાવવામાં આવે છે. કન્યાદાન કરનાર સંકલ્પ લઈને આ મહાન પુણ્યની પ્રાપ્તી કરે છે. આ રીતે વિવાહ કરાવનારને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2qNCeva
No comments:
Post a Comment