Latest

Thursday, November 15, 2018

હથેળી પરથી જાણો, સરકારી નોકરીના ચાન્સ છે કે નહિ

દરેકને નથી મળતી સફળતા

સફળ બનવા માટે દરેક વ્યક્તિ ખૂબ મહેનત તો કરે જ છે પરંતુ દરેક સમયે તેને સફળતા મળતી નથી. દરેકને સરકારી નોકરી મેળવવાની ઈચ્છા હોય છે પરંતુ ક્યારેક અસફળતા પણ મળે છે. સફળતા તો તેને જ મળે છે. જેની ભાગ્યરેખા સાચા સ્થાન પર હોય. આવો જાણીએ કેટલીક એવી જ રેખાઓ વિશે જેનાથી તમે જાણી શકો છો કે તમારા નસીબમાં સરકારી નોકરીના ચાન્સ છે કે નહિ…

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

સૂર્ય પર્વત અને સરકારી નોકરી

હસ્તરેખાના વિજ્ઞાન અનુસાર જે જાતકની હથેળીમાં સૂર્ય પર્વત હોય અને તે પર્વત પર સીધી રેખા કોઈપણ જાતની અડચણ વગર જઈ રહી હોય તો તેવા લોકોને સરકારી નોકરી મળવાના ચાન્સ વધારે સારા હોય છે.

હથેળીમાં સૂર્ય અને ગુરુનો સંબંધ

જો કોઈ હથેળીમાં સૂર્ય રેખા ગુરુ પર્વત તરફ જતી હોય તો તે વ્યક્તિ કોઈ મોટો સરકારી અધિકારી બને છે.

બુધ પર્વત પર ત્રિભુજ

હસ્તરેખા વિજ્ઞાન અનુસાર જો બુધ પર્વત પર કોઈ ત્રિભુજની આકૃતિ બનતી હોય તો તે વ્યક્તિને સરકારી નોકરી મળવાના ચાન્સ સૌથી વધારે હોય છે.

ભાગ્યરેખા પર ગુરુ પર્વત

જો કોઈ વ્યક્તિની હથેળીમાં ગુરુ પર્વત પર ભાગ્ય રેખા આવીને મળતી હોય તો એવા લોકોને સરકારી નોકરીમાં સન્માનજનક સ્થાન મળે છે.

સૂર્યપર્વત પર ભાગ્યરેખા

જો કોઈની હથેળીમાં સૂર્ય પર્વત પર ભાગ્ય રેખા આવીને મળતી હોય તો તેવા લોકોને સરકારી નોકરી મળવાના યોગ ખૂબ જ સારા હોય છે.

સરકારી નોકરીમાં સારા સંકેત

જે જાતકની હથેળી પર ગુરુ પર્વત જો સૂર્ય પર્વતની કોઈ રેખાએ મળતો હોય તો તેને પણ સરકારી નોકરી મળવાના સારા ચાન્સ હોય છે.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2FpgK1M

No comments:

Post a Comment

Pages