Latest

Sunday, November 18, 2018

હવન અને યજ્ઞ એક નથી! જાણો શું છે અંતર

હવન અને યજ્ઞનું મહત્વ

હિન્દુ ધર્મમાં ઘણી બધી એવી પરંપરાઓ છે જે સદીઓથી ચાલી આવી છે. આપણા પૂર્વજો દ્વારા કરવામાં આવતી ઘણી ધાર્મિક ક્રિયાઓનું આપણે આજે પણ વહન કરીએ છીએ. હવન અને યજ્ઞ પણ આ જ પ્રકારની ધાર્મિક ક્રિયાઓ છે. ગ્રથો અને પુરાણોમાં મનોકામનાની પૂર્તિ માટે અને અનિષ્ટને ટાળવા માટે આપણે યજ્ઞો કરીએ છીએ અને ઈતિહાસમાં પણ આવા ઘણા પ્રસંગોનો ઉલ્લેખ જોવા મળે છે. પહેલાના સમયમાં રાજાઓ, ઋષિ-દ્વારા યજ્ઞ-હવન કરવામાં આવતા હતા અને આજના સમયમાં આપણે પણ ઘણા કાર્યોના આરંભ વખતે આ ધાર્મિક ક્રિયા કરીએ છીએ. જોકે. મોટાભાગના લોકો યજ્ઞ અને હવનને એક જ માને છે પણ અસલમાં એવું નથી. આ બંને અલગ-અલગ ક્રિયાઓ છે અને આજે અમે તમને અહીં તેના વિશે વિસ્તારથી જણાવવા જઈ રહ્યાં છીએ.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

યજ્ઞ અને હવન વચ્ચેનો તફાવત

હવનને યજ્ઞનું નાનું સ્વરૂપ માનવામાં આવે છે. પૂજા પછી અગ્નિકુંડમાં આપવામાં આવતી આહુતિને હવન કહેવામાં આવે છે. જ્યારે કોઈ ખાસ ઉદ્દેશ્ય સાથે દેવતાને આપવામાં આવેલી આહુતિને યજ્ઞ કહેવામાં આવે છે.

કઈ બાબતોમાં અલગ

યજ્ઞમાં દેવતા, આહુતિ, વેદ મંત્ર, ઋત્વિક અને દક્ષિણા કાર્ય થાય તે અનિવાર્ય છે. આના સિવાય યજ્ઞને સંપન્ન માનવામાં આવતો નથી. જ્યારે હવન કુંડમાં અગ્નિના માધ્યમથી દેવતાના હવિ (ભોજન) પહોંચાડવાની પ્રક્રિયા છે.

હવન શુદ્ધિકરણ, યજ્ઞ મનોકામના પૂર્તિ માટે

હવનને હિન્દુ ધર્મમાં શુદ્ધિકરણના એક ધર્મકાંડ તરીકે માનવામાં આવે છે. જ્યારે યજ્ઞ કોઈ ખાસ ઉદ્દેશ્ય જેમ કે, મનોકામના પૂર્તિ અને અનિષ્ટ ટાળવા માટે કરવામાં આવે છે.

હવન યજ્ઞનું નાનું રૂપ છે

હવન દ્વારા આસપાસની ખરાબ શક્તિઓના પ્રભાવને ખતમ કરવામાં આવે છે જ્યારે યજ્ઞ મોટાપાયે કેટલાક વિશિષ્ટ ઉદ્દેશ્યો માટે કરવામાં આવે છે.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2zoOjf1

No comments:

Post a Comment

Pages