Latest

Wednesday, November 14, 2018

પાકિસ્તાન તેના લોકોને સાચવી શકતું નથી, તે કાશ્મીર શું સાચવશે : શાહિદ આફ્રિદી

આફ્રિદીએ પોતાને દેશને અરીસો દેખાડી દીધો

નવી દિલ્હી: પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી કાશ્મીર વિશે ભારતની વિરોધમાં અવારનવાર નિવેદન કરતો રહ્યો છે પણ આ વખતે તેણે પોતાના દેશ પાકિસ્તાનને અરીસો દેખાડી દીધો છે. આફ્રિદીનું કહેવું છે કે, કાશ્મીરને સાચવવું પાકિસ્તાન જેવા દેશના હાથની વાત નથી. આફ્રિદીએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, પાકિસ્તાનથી કાશ્મીર સંભાળી શકાય તેમ નથી. ઈમરાન સરકારની ઝાટકણી કાઢતા નિવેદન બાદ હવે આ પૂર્વ ક્રિકેટરને પાકિસ્તાનના લોકો ટાર્ગેટ કરી રહ્યાં છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે ક્લિક કરો

ભારત કે પાક કોઈને ન આપો, અલગ દેશ બનાવો

સોશિયલ મીડિયા પર આફ્રિદીની પ્રેસ કૉન્ફરન્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં આફ્રિદી કહી રહ્યો છે કે, ‘પાકિસ્તાનથી પાકિસ્તાનના જ વિસ્તારો નથી સચવાઈ રહી, તે કાશ્મીરને શું સાચવી શકશે.’ જણાવી દઈએ કે, આફ્રિદી અગાઉ પણ કાશ્મીર અંગે ઘણી ટિપ્પણીઓ કરી ચૂક્યો છે. તેમણે કહ્યું કે, ‘કાશ્મીર કોઈ ઈશ્યૂ નથી. જે લોકો ત્યાં રહે છે…હું કહું છું કે, પાકિસ્તાનને કાશ્મીર નથી જોઈતું., ભારતને પણ ન આપો કાશ્મીર. કાશ્મીર એક અલગ દેશ બને. છેલ્લે માનવતા તો જીવંત રહે…લોકો મરી રહ્યાં છે તે તો ન થાય.’

આતંકવાદીઓના સપોર્ટમાં કર્યું હતું ટ્વીટ

જોવા જઈએ તો, આ પહેલો પ્રસંગ નથી જ્યારે શાહિદ આફ્રિદીએ કાશ્મીર મુદ્દે નિવેદન આપ્યું છે. અગાઉ તેણે પોતાના નિવેદનમાં ભારતને ટાર્ગેટ કર્યું હતું. તેણે આ જ વર્ષે એપ્રિલમાં ટ્વીટ કરી હતી. જમ્મૂ-કાશ્મીરમાં સૈન્યના આતંકરોધી અભિયાન અંતર્ગત ઠાર થયેલા 13 આતંકીઓ માટે સહાનુભૂતિ વ્યક્ત કરતા આફ્રિદીએ લખ્યું હતું કે, કાશ્મીરની સ્થિતિ વ્યાકુળ કરનારી અને ચિંતાજનક છે. અહીં આત્મનિર્ણય અને આઝાદીના અવાજને દબાવવા માટે દમનકારી શાસન દ્વારા નિર્દોષોને મારી નાખવામાં આવે છે. હું દંગ છું કે, સંયુક્ત રાષ્ટ્ર અને બીજા આંતરરાષ્ટ્રીય સંગઠનો ક્યાં છે? તેઓ આ લોહીયાળ સંઘર્ષને રોકવા માટે કેમ કંઈ કરી રહ્યાં નથી? આના પર ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર સહિત ઘણા નેતા અને સેલિબ્રિટીઝે આફ્રિદીને ટાર્ગેટ કર્યો હતો.

2017માં પણ કરી હકી ટ્વીટ

આફ્રિદી અવારનવાર કાશ્મીર સંબંધિત નિવેદનો આપતો જ રહ્યો છે. ગત વર્ષે પણ તેણે આવું એક ટ્વીટ કરી હતી, ત્યારે આફ્રિદીએ લખ્યું હતું કે, ‘કાશ્મીર છેલ્લા ઘણા સમયથી ક્રૂરતાનો શિકાર થઈ રહ્યું છે, હવે સમય આવી ગયો છે કે, આ મુદ્દાનો ઉકેલ લાવવામાં આવે જેણે અનેક લોકોના જીવ લીધા.’ અન્ય એક ટ્વીટમાં તેણે લખ્યું કે, ‘કાશ્મીર ધરતી પરનું સ્વર્ગ છે અને આપણે નિર્દોષોની પુકારને નજરઅંદાજ ન કરી શકીએ.’



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2DDZrIr

No comments:

Post a Comment

Pages