યુવાનવયે આત્મહત્યાના વિચારો આવતા હતા

સંઘર્ષ વિના કોઈને પણ સફળતા મળતી નથી, ઓસ્કર વિજેતા સંગીતકાર રહેમાનનો સંઘર્ષ પણ જાણવા જેવો છે. એ.આર.રહેમાને તેમના સંઘર્ષ વિશેની વાત કરતા કહ્યું કે એક એવો પણ સમય હતો કે જ્યારે માત્ર 25 વર્ષની યુવાનવયે તેમને આત્મહત્યા કરવાના વિચારો આવતા હતા.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
સંઘર્ષોના દિવસોમાં હું વધારે મજબૂત બન્યો

એ.આર.રહેમાન જણાવે છે કે આપણામાંના મોટાભાગના લોકોને એવું લાગતું હોય છે કે આપણે સારા નથી, કારણકે મારા પિતાનું દેહાંત થઈ ગયું હતું એટલે જીવનમાં એક ખાલીપો વર્તાતો હતો. પણ આ તમામ ઘટનાઓથી હું મજબૂત બન્યો. એક દિવસ તો તમામ લોકોને મરવાનું જ છે તેવું વિચારીને હું નીડર બની ગયો.
રહેમાને આત્મકથા ‘નોટ્સ ઓફ અ ડ્રીમ’માં આ વાત કરી

આ તમામ વાતો એ.આર.રહેમાને તેમની હાલમાં પ્રકાશિત થયેલી આત્મકથા ‘નોટ્સ ઓફ અ ડ્રીમ’માં કરી છે. આ પુસ્તક કૃષ્ણા ત્રિલોકે લખ્યું છે. એ.આર.રહેમાને તેમની સંગીતકાર તરીકેની ડેબ્યૂ ફિલ્મ રોઝા રિલીઝ થતા પહેલા પરિવાર સાથે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને પોતાનું સાચું નામ દીલિપ કુમાર ભૂલાવી દીધું. રહેમાન સંગીત વિશે જણાવે છે કે સંગીત તૈયાર કરવાનું કામ એકલા હોવા કરતા વધુ પોતાની અંદર જોવાનું વધુ છે. તમે જ્યારે કોઈ કલ્પના કરો છો ત્યારે તમારે પોતાની અંદર ઊંડે સુધી ઉતરવું પડે છે.
No comments:
New comments are not allowed.