Latest

Thursday, November 15, 2018

રણવીર સિંહે લગ્નમાં ન બોલાવતા ફુઆ અનિલ કપૂરને માઠુ લાગી ગયુ

દીપવીરની ચર્ચાઃ

સોશિયલ મીડિયા પર અત્યારે રણવીર દીપિકાના લગ્ન સિવાય જાણે બીજી કોઈ ચર્ચા જ નથી. આ બંનેએ તેમના લગ્નનો એક ફોટો સુદ્ધાં લીક થવા નથી દીધો. થોડા સમય પહેલા જ તેમના સંગીતના થોડા ફોટોઝ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે.

અનિલ કપૂરને લાગ્યું માઠુઃ

આ ધમાલમાં એવુ સાંભળવા મળ્યું છે કે અનિલ કપૂર દીપિકા અને રણવીરથી ખૂબ જ નારાજ છે. એક વેબસાઈટના રિપોર્ટ મુજબ અનિલ કપૂર અને તેના પરિવારને માઠુ એટલા માટે લાગ્યું છે કે તે રણવીર સિંહના પરિવારનો હિસ્સો હોવા છતાંય તેમને લગ્નમાં આમંત્રણ નથી આપ્યું. રણવીર સિંહના પિતા અને અનિલ કપૂરની પત્ની કઝિન છે.

મુંબઈ પણ ન બોલાવ્યાઃ

કપૂર પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ તેમને સૌથી વધારે ખોટુ એ વાતનું લાગ્યું છે કે હલ્દી સેરેમની મુંબઈમાં હોવા છતાં તેમને તેના માટે પણ આમંત્રણ અપાયુનહતુ. YRFની કાસ્ટિંગ ડિરેક્ટર શાનૂ શર્માને પણ આ પ્રસંગે આમંત્રણ અપાયુ હતું પણ અનિલ કપૂરના પરિવારને નહિ.

સોનમ દીપિકા વચ્ચે દુશ્મનાવટ જવાબદાર?

ઉલ્લેખનીય છે કે સોનમ કપૂરના લગ્નમાં રણવીર સિંહે ધમાકેદાર ડાંસ કર્યો હતો. એ સમયે તેના ડાંસનો વીડિયો ખાસ્સો વાયરલ થયો હતો. પહેલા એવી ખબર હતી કે સોનમને લગ્ન માટે ઈન્વાઈટ કરાઈ છે પણ હવે એવુ નથી લાગી રહ્યું. આ માટે સોનમ દીપિકા વચ્ચેની દુશ્મનાવટ જવાબદાર હોવાનો પણ ગણગણાટ છે.

પોતાની આ થનાર નણંદ સાથે દીપિકાને જરાય નથી જામતું, બંને જાહેરમાં પણ ઝઘડી ચૂકી છે

દીપિકા અને રણવીરે કોઈને નથી બોલાવ્યા?

વાત એવી પણ છે કે દીપિકા અને રણવીર સિંહ સંજય લીલા ભણશાલી, ફરાહ ખાન, શાહરૂખ ખાન અને કરણ જોહરના ઘરે લગ્નનું ઈન્વિટેશન આપવા નહિ પરંતુ તેમના આશીર્વાદ લેવા ગયા હતા.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2OF22D6

No comments:

Post a Comment

Pages