આજે ધન ખરીદવાથી તે 13 ગણું વધી જાય છે

ધનતેરસનો તહેવાર દિવાળી પહેલાં મનાવવામાં આવે છે, આ દિવસે હિન્દૂ ધર્મ અનુસાર લોકો ખરીદી કરે છે અને ખાસકરીને આ દિવસે ધાતુની ચીજવસ્તુઓની ખરીદીને મહત્ત્વ આપવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન ધનવંતરિ પ્રગટ થયા હતા, માટે આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. ભગવાન ધનવંતરિ સતયુગમાં સમુદ્ર મંથન દરમિયાન તેમની સાથે અમૃતના કળશ અને ઔષધિઓ લઈને પ્રગટ થયા હતા. અને દેવતાઓ સુધી પહોંચતા આ અમૃતમાં ખૂબ જ વધારો થયો. ધનતેરસના દિવસે ધન ખરીદવાથી ધન 13 ગણું વધી જાય છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
ધાતુની ચીજવસ્તુઓ ખરીદવી શુભ ગણાય છે

માન્યતાઓ અનુસાર ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાસણો વગેરે ખરીદવાની પરંપરા જાળવવામાં આવે છે. આ પાછળની કથા કંઈક એવી છે કે આ દિવસે ભગવાન ધનવંતરિ અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા અને આ કળશ સોનાનો હતો. માટે આ દિવસે વાસણ ખરીદવાની પરંપરા નિભાવવામાં આવે છે, વાસણ સિવાય આ દિવસે સોનું, ચાંદી અને ધાતુઓમાંથી તૈયાર કરવામાં આવેલી ચીજવસ્તુઓ ખરીદવાનો નિયમ માનવામાં આવે છે. આ પરંપરા આજે પણ લોકો દ્વારા કરવામાં આવે છે, આ તહેવારને ધનત્રયોદશીના નામથી પણ ઓળખવામાં આવે છે.
યમને દીપદાન કરવાની પણ છે પરંપરા

પુરાણો અનુસાર મૃત્યુના દેવતા યમની દિશા દક્ષિણ છે માટે ધનતેરસના દિવસે સાંજે યમ માટે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને એક દીવો પ્રગટાવવો જોઈએ કે જેનાથી અકાળ મૃત્યુનો દોષ ટળી જાય છે. આ દિવસે ઘરની બહાર સાંજે મુખ્ય દ્વાર પર અને આંગણામાં દીવો પ્રગટાવવાની પરંપરા છે.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2D7d7dM
No comments:
Post a Comment