Latest

Monday, November 19, 2018

ડિફોલ્ટર્સનાં નામ આપતા RBIને કોની શરમ નડે છે?



66689597
નિધિ શર્મા
નવી દિલ્હી:આરટીઆઇ વિરોધી નીતિ બદલ કેન્દ્રીય માહિતી પંચ (સીઆઇસી)એ આરબીઆઇની આકરી ટીકા કરે છે. સીઆઇસીએ સુપ્રીમ કોર્ટના 2015ના ચુકાદાને ધ્યાનમાં રાખીને 45 દિવસની અંદર લોનના વિલફુલ ડિફોલ્ટર્સનાં નામ જાહેર કરવા આરબીઆઇને આદેશ આપ્યો છે.
વિલફુલ ડિફોલ્ટર્સની યાદી હજુ સુધી કેમ જાહેર કરવામાં નથી આવી તેનો ખુલાસો કરવા માટે સીઆઇસીએ આરબીઆઇના ગવર્નર ઊર્જિત પટેલને શોકોઝ નોટિસ આપી ત્યારે હોબાળો મચી ગયો હતો.
સીઆઇસીએ હવે આરબીઆઇને 10 દિવસની રાહત આપી છે અને 26 નવેમ્બર સુધીમાં જવાબ આપવા કહ્યું છે. માહિતી કમિશનર એમ શ્રીધર આચાર્યુલુએ બીજી નવેમ્બરે નોટિસ ઇશ્યૂ કરીને ઊર્જિત પટેલને 16 નવેમ્બર સુધીમાં જવાબ આપવાનો સમય આપ્યો હતો. આચાર્યુલુ મંગળવારે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે શુક્રવારે આ મેટર સાંભળી હતી અને આરબીઆઇને તેની માંગણી મુજબ 26 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો.
67 પાનાંના ઓર્ડરમાં તેમણે આરબીઆઇને ફટકારી છે અને વિગત ન આપવા અંગેની દલીલ ફગાવી દીધી છે. આચાર્યુલુએ જણાવ્યું છે કે, “બેન્કો દ્વારા નાની લોનની ઉઘરાણીના કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે બેન્કો કરોડોની લોન છુપાવી રહી છે. વિલફુલ ડિફોલ્ટર્સનાં નામ જાહેર કરવામાં શો વાંધો છે.”
]]>

No comments:

Pages