Latest

Wednesday, November 21, 2018

RBIની બોર્ડ બેઠકના તારણ બાદ પણ સરકારી બેન્ક શેરોમાં જુસ્સાનો અભાવ



66728700

સૈકત દાસ

મુંબઈ: રિઝર્વ બેન્કની બોર્ડ બેઠકના તારણથી સરકારી બેન્કોના શેરોમાં કોઈ જુસ્સો આવ્યો નથી, કારણ કે પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (પીસીએ)માં તમામ બેન્કોને રાહત મળશે નહીં અને કિસ્સાવાર ધોરણે તેની વિચારણા કરવામાં આવશે. હાલમાં આશરે ૧૧ સરકારી બેન્કો પીસીએ હેઠળ છે. આ પગલાને કારણે બેન્કોના ધિરાણ અને ઋણ પર નિયંત્રણો આવે છે.

બીએસઇમાં દેના બેન્ક અને યુકો બેન્કના શેરમાં ત્રણ ટકાથી વધુ ઘટાડો થયો હતો, જ્યારે સેન્ટ્રલ બેન્કનો શેર 2.2 ટકા તૂટ્યો હતો. ઇન્ડિયન ઓવરસીઝ બેન્કના શેરમાં 4.6 ટકાનો તીવ્ર ઘટાડો થયો હતો. બીએસઇનો બેન્કિંગ ઇન્ડેક્સ બેન્કેક્સ 0.78 ટકા ઘટીને 29,372.05એ બંધ આવ્યો હતો. જોકે આ ઇન્ડેક્સમાં સરકારી બેન્કો કરતાં ખાનગી બેન્કો વધુ વેઇટેજ ધરાવે છે.

મેક્વેરી કેપિટલ સિક્યોરિટીઝ (ઇન્ડિયા)ના રિસર્ચ એનાલિસ્ટ (ફાઇનાન્શિયલ્સ) સુરેશ ગણપતિએ જણાવ્યું હતું કે, “સરકારી આગામી ચૂંટણી જીતવા માગે છે, પરંતુ આરબીઆઇ લાંબા ગાળાનું વિચારે છે. રિઝર્વ બેન્કની જવાબદાર બંધારણીય સત્તા મુજબ ઘણી મોટી છે.” રિઝર્વ બેન્કના બોર્ડે પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન હેઠળની બેન્કો માટે ધિરાણના નિયમોને હળવા કરવાની વિચારણા કરવા તૈયાર થઈ છે. પરંતુ આરબીઆઇનું બોર્ડ ફોર ફાઇનાન્શિયલ સુપરવિઝન આ મુદ્દાનો અભ્યાસ કરશે. બેન્કોને બેસલ ધોરણો હેઠળ મૂડીપર્યાપ્તતાનાં ધોરણોમાં પણ થોડી રાહત મળશે.

]]>



from Page Array – I Am Gujarat https://ift.tt/2S82nQV

No comments:

Post a Comment

Pages