Latest

Thursday, November 15, 2018

SEBIને NPAની વિગત આપવાનો RBIનો ઈનકાર



66629485

પવન બુરુગુલા

મુંબઈ:રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નોન પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) અને લોન ડિફોલ્ટર્સને લગતી માહિતી સેબીને આપવાનો ઇનકાર કર્યો છે. છેલ્લા એક વર્ષમાં સેબીએ આરબીઆઇને ઓછામાં ઓછી બે વખત સત્તાવાર વિનંતી કરી હતી અને સેબીની જુદી જુદી તપાસમાં પુરાવા તરીકે ઉપયોગ કરવા ડેટા માંગ્યો હતો.

સેબીએ એક ઋણગ્રસ્ત કંપનીના ડિસ્ક્લોઝર લેપ્સ, એક અગ્રણી પ્રાઇવેટ બેન્કમાં કોર્પોરેટ ગવર્નન્સના ભંગ અને બીજી એક ખાનગી બેન્કમાં ઈનસાઇડર ટ્રેડિંગને લગતા કેસમાં આરબીઆઇ પાસેથી માહિતી માંગી હતી. માહિતી આપવાનો ઇનકાર કરવા બદલ આરબીઆઇ અને કેન્દ્રીય માહિતી પંચ (સીઆઇસી) વચ્ચે તણાવ ચાલે છે ત્યારે આ નવા સમાચાર મળ્યા છે.

આ વિશે આરબીઆઇ અને સેબીને મોકલવામાં આવેલા ઇ-મેઇલનો જવાબ મળ્યો ન હતો. રેગ્યુલેટર હાલમાં કેટલાક કેસ પર તપાસ કરે છે જેમાં એનપીએની એકાઉન્ટને લગતી માહિતી નક્કર પુરાવારૂપ બની શકે છે. આવા એક કિસ્સામાં કંપનીએ પોતે એક લોનની ચુકવણીમાં ડિફોલ્ટ થઈ છે તે વાત છુપાવી હતી. અન્ય એક કેસમાં એક ખાનગી બેન્કના એનપીએમાં તીવ્ર વધારો થયો તે અગાઉ તેમાં ઈનસાઇડર ટ્રેડિંગ થયું હોવાની સેબી તપાસ કરી રહી છે.

સામાન્ય રીતે આરબીઆઇ અને સેબી વચ્ચે મોટા પ્રમાણમાં માહિતીનું આદાનપ્રદાન થતું હોય છે કારણ કે ડેટ માર્કેટ, એફઆઇઆઇ અને લિસ્ટેડ બેન્કો પર નજર રાખવાના સંદર્ભમાં આ બંને નિયમનકારના અધિકારક્ષેત્ર ઓવરલેપ થાય છે. આ બાબતની સીધી માહિતી ધરાવતી એક વ્યક્તિએ કહ્યું કે, “માહિતીનું આદાનપ્રદાન સુરેખ રીતે થાય છે અને આરબીઆઇને વિનંતી મોકલ્યા પછી બે સપ્તાહમાં જ સેબીને વિગત મળી જાય છે. જોકે, ડેટાની સેન્સિટિવ પ્રકૃતિના કારણે આરબીઆઇએ સેબીની માંગણી ફગાવી દીધી છે.”

આરબીઆઇએ સેબીને જણાવ્યું છે કે આ ડેટા વહેંચવામાં આવે તો કેટલીક કંપનીઓના બિઝનેસને અસર થવાની સંભાવના છે. સેબીને અન્ય રેગ્યુલેટર પાસેથી જે ડેટા મળે છે તેનું ડોક્યુમેન્ટેશન થાય છે અને તપાસના અહેવાલની સાથે જ ફાઇલ કરવામાં આવે છે. કેસ આગળના તબક્કામાં પહોંચે ત્યારે સેબીએ આરોપીને લગતા તમામ પુરાવા આપવા પડે છે. તેથી ડેટા લિક થઈ શકે છે અને લિસ્ટમાં નામ હોય તે કંપનીના બિઝનેસને અસર થઈ શકે છે.

એક સૂત્રે કહ્યું કે કોઈ સંભવિત એનપીએ હોય અથવા કોઈ લોન એનપીએ બની હોય તેનો અર્થ એવો નથી કે ડિફોલ્ટિંગ કંપનીનો બિઝનેસ ખતમ થઈ જાય. તેથી ડેટા જાહેર કરવાથી કંપનીની નિયમિત બિઝનેસ કરવાની ક્ષમતાને અસર થઈ શકે છે. એનપીએને અનપબ્લિશ્ડ પ્રાઇસ સેન્સિટિવ ઇન્ફોર્મેશન (યુપીએસઆઇ) ગણવામાં આવે છે. તેથી દેવાગ્રસ્ત કંપનીનું લિસ્ટિંગ કરવામાં આવે તો સ્ટોક એક્સ્ચેન્જને તેની વિગત આપવી એ કંપનીની જવાબદારી છે.

છેલ્લાં બે વર્ષમાં કેટલીક બેન્કોએ રિઝલ્ટની જાહેરાત અગાઉ સ્ટોકમાં તીવ્ર મૂવમેન્ટ નોંધાવી છે. સોશિયલ મીડિયામાં લીક થતી માહિતી અંગે પણ સેબી તપાસ કરે છે.

]]>



from Page Array – I Am Gujarat https://ift.tt/2Td1vM4

No comments:

Post a Comment

Pages