Latest

Monday, December 3, 2018

ઓવૈસી-યોગીમાં ઘમાસાણ, ‘અમારી 100 પેઢીઓ અહીં જ રહેશે’

આરોપ-પ્રત્યારોપમાં ઓવૈસીએ ભૂલાવી મર્યાદા

નવી દિલ્હી: તેંલગાણામાં વિધાનસભા ચૂંટણી પહેલાં નેતાઓ એકબીજા વિરુદ્ધ બોલવામાં ભાન ભૂલી રહ્યા છે. રાજ્યમાં ભાજપ માટે પ્રચાર કરી રહેલા ઉત્તરપ્રદેશના સીએમ યોગી અને ઓવૈસી બંધુઓ પૈકી અકબરુદ્દીન ઓવૈસી વચ્ચે આરોપ-પ્રત્યારોપનો મારો ચાલી રહ્યો છે. તેવામાં જૂનિયર ઓવૈસીએ એક રેલીને સંબોધન કરતા યોગી આદિત્ય નાથ અને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે મોદી વિરુદ્ધ બોલતા એટલે સુધી કહી દીધું હતું કે, ‘ચા વાળા એટલું બોલીશ કે કાનમાં લોહી નીકળવા લાગશે.’

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

મોદી માટે કહ્યું એટલું મારીશ કે કાનમાંથી લોહી નીકળશે

હૈદરાબાદના ચારમિનાર વિધાનસભા વિસ્તારમાં રેલીને સંબોધતા અકબરુદ્દીને કહ્યું હતું કે, ચા વાળા, અમને હેરાન ન કરશો. ચા-ચાની બૂમો પાડતા રહો છે. યાદ રાખો હું એટવું બોલીશ અને એટલું મારીશ કે કાનમાંથી લોહી નીકળવા લાગશે.

યોગી ઉપર પણ કર્યા પ્રહાર

અકબરુદ્દીન ઓવૈસીએ કહ્યું, આજે વધુ એક આવ્યો છે. કેવા-કેવા કપડાં પહેરા છે. તમાશા જેવું લાગે છે. નસીબથી મુખ્યમંત્રી બની ગયો છે. કહે છે કે, નિઝામની જેમ ઓવૈસીને પણ ભગાડીશ. અરે તું છે શું, તારી હિંમત શું. તારા જેવા 56 આવ્યા અને જતા રહ્યા. અરે ઓવૈસીને છોડો તેની આગામી 100 પેઢી પણ આ દેશમાં રહેશે અને તારી સાથે લડશે અને સંઘર્ષ કરશે.

યોગી-ઓવૈસીમાં ચાલી રહ્યા છે આરોપ-પ્રત્યારોપ

નોંધનીય છે કે, યોગી આદિત્યનાથ અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે સામ-સામે આરોપ પ્રત્યારોપણ ચાલી રહ્યું છે. તેલંગાણાના વિકારાબાદમાં તેંદુરમાં એક રેલીને સંબોધીત કરતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, બીજેપી સત્તામાં આવશે તો હું તમને વિશ્વાસ અપાવું છું કે, ઓવૈસીને તેલંગણા છોડીને એવી જ રીતે ભાગવું પડશે જે રીતે નિઝામ હૈદરાબાદ છોડીને ભાગ્યા હતા.

યોગીએ કહ્યું હતું ‘જેમ નિઝામને ભગાડ્યા તેમ ઓવૈસીને પણ ભગાડીશું’

અસદુદ્દીન ઓવૈસીએ પણ યોગી પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, બીજેપી, મોદી, આરએસએસ, સરકારની નીતિ અને યોગી વિશે વાત કરવાથી શું અમને દેશમાંથી ભગાડી દેવામાં આવશે. માસકપેટમાં જનસભાને સંબોધન કરતી એક રેલીમાં ઓવૈસીએ કહ્યું કે, સીએમ હૈદરાબાદ પહોંચી ગયા છે. યુપી સીએમ કહે છે કે, તેલંગાણામાં બીજેપીની સરકાર બનશે તો ઓવૈસીને ભગાડી દેશું, જે પ્રમાણે નિઝામને ભગાડી દીધાં હતા. તો હું એમને પુછુ છું કે, આ ભગાડી દેવાની વાત તમે ક્યારથી કરી રહ્યાં છો.



from Page Array – I Am Gujarat https://ift.tt/2SnOJJm

No comments:

Post a Comment

Pages