Latest

Monday, December 3, 2018

ત્રણ પાવર પ્લાન્ટ્સના ટેરિફમાં વધારો કરવા ગુજરાતનો નિર્દેશ



66914936

સરિતા સિંઘ

નવી દિલ્હી:ગુજરાત સરકારે વીજ ડિસ્ટ્રિબ્યુશન કંપનીને ટાટા પાવર, અદાણી પાવર અને એસ્સાર પાવરની માલિકીના ત્રણ પાવર પ્લાન્ટ્સના ટેરિફમાં વધારો કરવાનો નિર્દેશ આપ્યો છે. સરકારે ડિસ્ટ્રિબ્યુશન કંપનીને વીજ ખરીદીના કરારમાં સુધારો કરી વીજ નિયમનકર્તા પાસેથી મંજૂરી મેળવવા જણાવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય પ્લાન્ટ્સમાંથી વીજળી ખરીદતી મુખ્ય કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ (GUVNL)ને કરારમાં તાત્કાલિક સુધારો કરવા અને ટેરિફ માટે મંજૂરી લેવા જણાવાયું છે. ગુજરાત સરકારનો નિર્દેશ શનિવારે મોડો જાહેર કરાયો હતો.

સુધારેલા પાવર પરચેઝ એગ્રીમેન્ટ્સ (PPAs)ને ટૂંક સમયમાં કેબિનેટની મંજૂરી માટે અન્ય રાજ્યોમાં મોકલાશે. આદેશમાં જણાવ્યા અનુસાર “અદાણી પાવર અને એસ્સાર પાવર ગુજરાતના PPAsમાં સુધારા અમલી બનાવવાનો નિર્ણય લેવાયો છે. જેની મંજૂરી માટે સંબંધિત રેગ્યુલેટરી કમિશનનો સંપર્ક કરવા જણાવાયું છે. કોસ્ટલ ગુજરાત પાવરના PPAના કિસ્સામાં એમેન્ડમેન્ટની રજૂઆત અન્ય ચાર રાજ્યની મંજૂરી સાથે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનને કરવામાં આવશે.

ટાટા પાવરની કોસ્ટલ ગુજરાત પાવર મુંદ્રામાં 4,000 મેગાવોટના આયાતી કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટનું સંચાલન કરે છે. કંપની પાંચ રાજ્ય ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા સાથે PPAs ધરાવે છે. જ્યારે અદાણી પાવરના 4,600 મેગાવોટના પ્લાન્ટના ગુજરાત અને હરિયાણા સાથે પાવર પરચેઝ એગ્રિમેન્ટ્સ છે. એસ્સાર પાવરનો 1,320 મેગાવોટનો સલાયા પ્લાન્ટ માત્ર ગુજરાત સાથે પાવર સપ્લાયનો કરાર ધરાવતો હોવાથી સારી સ્થિતિમાં છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ૨૯ ઓક્ટોબરના ચુકાદામાં સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (CERC)ને આયાતી કોલસા આધારિત પ્લાન્ટ્સના ઊંચા ઈંધણખર્ચના વળતર અંગે આઠ સપ્તાહમાં નિર્ણય લેવા જણાવ્યું હતું. ચુકાદો ગુજરાતે રચેલી ઉચ્ચસ્તરીય સમિતિની ભલામણો પર આધારિત હતો. જેમાં પ્રોજેક્ટ્સનો ઈંધણખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલવાની વાત હતી. ઉપરાંત, કંપનીઓને 10 વર્ષ સુધી પાવર પરચેઝ એગ્રિમેન્ટ લંબાવવાનો વિકલ્પ અપાયો હતો.

ઉલ્લેખનીય છે કે, વિદેશી કાયદામાં સુધારાને કારણે કોલસાના ભાવમાં વૃદ્ધિને PPAs હેઠળ કાયદામાં ફેરફાર નહીં ગણવાના સુપ્રીમ કોર્ટના આદેશ પછી ગયા વર્ષે ત્રણ કંપનીએ ગુજરાતમાં પ્લાન્ટ્સનો બહુમતી હિસ્સો ₹1માં ગુજરાત સરકારને ઓફર કર્યો હતો. 2010માં ઇન્ડોનેશિયાએ બેન્ચમાર્ક વેચાણ ભાવ અંગેના નિયમ જાહેર કર્યા પછી અદાણી પાવર અને ટાટા પાવરે વળતર માટે CERC સમક્ષ રજૂઆત કરી હતી.



from Page Array – I Am Gujarat https://ift.tt/2EbluXh

No comments:

Post a Comment

Pages