2019માં ત્રીજું વિશ્વયુધ્ધ થશે કે જે વર્ષો સુધી ચાલશે

ફ્રાન્સના પ્રખ્યાત ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી માનીએ તો વર્ષ 2019નું વર્ષ વિશ્વયુધ્ધના વર્ષ તરીકે જોવા મળશે. 2019માં ત્રીજુ વિશ્વયુધ્ધ થશે કે જે 3 દાયકાઓ સુધી ચાલશે. અગાઉ નાસ્ત્રેદમસે જર્મનીના હિટલર અને અમેરિકાના 9/11ના હુમલાને લઈને જે ભવિષ્યવાણી કરી હતી તે સાચી સાબિત થઈ છે. પરંતુ, 1999માં ધરતી નષ્ટ થવાની તેમની આગાહી ખોટી સાબિત થઈ છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
છંદ અને કવિતાઓના માધ્યમથી ભવિષ્યવાણી કરી

14 ડિસેમ્બર 1503ના રોજ ફ્રાન્સમાં જન્મેલા નાસ્ત્રદામસે છંદો અને કવિતાઓના માધ્યમથી ભવિષ્યવાણી કરી છે. તેમણે વર્ષ 2019માં ત્રીજા વિશ્વયુધ્ધને લઈને ભવિષ્યવાણી કરી હતી અને સાથે એવું પણ કહ્યું હતું કે આ યુધ્ધ સરળતાથી ખતમ નહીં થાય. તેમના પુસ્તકમાં યુરોપમાં થનારો ભૂખમરો તેમજ અમેરિકા અને કેનેડામાં મોટું તોફાન આવશે તેવી પણ શંકા વ્યક્ત કરી છે.
હિટલરને લઈને કરેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ

નાસ્ત્રેદમસના પુસ્તકમાં જે કોઈપણ ભવિષ્યવાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં કેટલીક શુભ ભવિષ્યવાણીઓ પણ છે. જેમાં જળવાયુ પરિવર્તન, મેડિકલ સાયન્સના ક્ષેત્રે પ્રગતિ અને મનુષ્ય 200 વર્ષ સુધી જીવી શકશે તેનો પણ ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. તેમણે જર્મનીના શાસક હિટલરને લઈને એવી ભવિષ્યવાણી કરી હતી કે તેનો નદી કિનારે ગરીબ પરિવારમાં જન્મ થશે અને તેમની આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ.
from Page Array – I Am Gujarat https://ift.tt/2rHb4X4
No comments:
Post a Comment