Latest

Tuesday, December 18, 2018

જાણો, કઈ ઉંમરમાં કેટલું લેવું જોઈએ લાઈફ ઈન્શ્યોરન્સ?

લાઈફ ઈન્શ્યોરન્સની જરુરિયાત

કોઈપણ વ્યક્તિની ઉંમર અને જવાબદારી વધવાની સાથે જ LIFE INSURANCEની જરુરિયાત પણ વધી જાય છે. સવાલ એ ઉઠે છે કે 19 વર્ષના કોઈ અપરિણીત વ્યક્તિનો લાઈફ ઈન્શ્યોરન્સ જેટલાનો હશે. શું 35 વર્ષના કોઈ બાળકો ધરાવતાં વ્યક્તિનો લાઈફ ઈન્શ્યોરન્સ પણ એટલાનો જ હશે? જવાબ છે નહિ. કારણકે બન્નેની જવાબદારીમાં જમીન-આસમાનનો ફરક છે. અમે તમને જણાવી રહ્યાં છે કે ઉંમરના હિસાબે તમારે કેટલાનો લાઈફ ઈન્શ્યોરન્સ લેવાં જોઈએ ?

 

1) ઉંમરઃ 25 વર્ષ, સ્ટેટસઃ સિંગલ

જો તમારા પર કોઈ આધાર રાખતાં ન હોય. તમારા પેરેન્ટ્સની આવક સારી હોય અને તમારી પર કોઈ જવાબદારી ન હોય તો તમારે ઈન્શ્યોરન્સની જરુર નથી. જોકે, તમારી પર એજ્યુકેશન લોન હોય અને માતા-પિતાની ફાઈનાન્શિયલ મદદ કરી રહ્યાં હોવ તો તમારે ઈન્શ્યોરન્સની જરુર છે. લોન કવર કરવા માટે તમે એક ટર્મ પ્લાન ખરીદો. ટર્મ પ્લાન તમારી વાર્ષિક આવકના પગાર કરતાં બે થી ત્રણ ગણું હોય શકે છે.

-ઈન્શ્યોરન્સ કવરઃ 25 લાખ, વાર્ષિક પ્રીમિયમઃ 2,862 રુપિયા

2) ઉંમર: 30-35 વર્ષ, મેરિડ અને બે બાળકો

તમારી પત્ની અને બાળકો આર્થિક રીતે તમારી પર નિર્ભર છે. થોડું દેવું છે અને ઓછામાં ઓછી પાંચ લાખ રુપિયાની કાર લોન છે.
*શા માટે ઈન્શ્યોરન્સની જરુર?
આવકની સુરક્ષા માટે, કાર લોન વગેરેના કવર માટે, બાળકોના ભવિષ્ય માટે. તમે એક ટર્મ પ્લાન ખરીદો જે તમારી વાર્ષિક આવક કરતાં પાંચથી આઠ ગણો હોય. જો તમારી પાસે ઈન્શ્યોરન્સ કવર પહેલાથી હાજર હોય તો એડિશનલ કવરની સાથે એક ટોપ અપ લો.

-ઈન્શ્યોરન્સઃ એક કરોડ રુપિયા, પ્રીમિયમઃ 8,614 વાર્ષિક
-ટોટલ કવરઃ 1.25 કરોડ રુપિયા, ટોટલ પ્રીમિયમઃ 11,476 રુપિયા વાર્ષિક

3) ઉંમરઃ 35-45 વર્ષ, મેરિડ સાથે બાળકો

પત્ની અને બાળકો આર્થિક રીતે તમારા પર નિર્ભર હોય. પરિવાર વધવાની સાથે તમારા પર જવાબદારી પણ વધતી હોય. એજ્યુકેશન અને કાર લોન ચૂકતે પણ પચાસ લાખ રુપિયાની હોમલોન.

*શા માટે ઈન્શ્યોરન્સની જરુર?
આવકની સુરક્ષા માટે, મોટી હોમ લોનના કવર માટે, ભવિષ્યના લક્ષ્યને પહોંચી વળવા માટે
હોમ લોનને કવર કરવા માટે એક એડિશનલ ટર્મ પ્લાન લો. રેગ્યુલર ટર્મ કવર લો. જે લોનથી લિંક ન હોય.

-ઈન્શ્યોરન્સઃ 50 લાખ, એડિશનલ કવર કોસ્ટઃ 7,493 વાર્ષિક
– ટોટલ કવરઃ 1.75 કરોડ રુપિયા, ટોટલ પ્રીમિયમઃ 18,969 રુપિયા વાર્ષિક

4) ઉંમરઃ 45-55 વર્ષ, પત્ની સાથે અને કોલેજ જતા બાળકો

હોમ લોન પૂરી થવા પર છે પરંતુ બાળકો માટે નવી એજ્યુકેશન લોનની જરુર છે.
*શા માટે ઈન્શ્યોરન્સની જરુર?
આવકની સુરક્ષા માટે, મોટી લોનના કવર માટે, ભવિષ્યના લક્ષ્યને પહોંચી વળવા માટે

-ઈન્શ્યોરન્સઃ નહિ, એડિશનલ કવર કોસ્ટઃ નહિ
-ટોટલ કવરઃ 1.75 કરોડ રુપિયા, ટોટલ પ્રીમિયમઃ 18,969 વાર્ષિક

5) ઉંમરઃ 55-65 વર્ષ, સ્ટેટસઃ રિટાયર્મેન્ટની નજીક

બાળકોએ નોકરી શરુ કરી છે. હોમ લોન પૂરી થઈ છે પરંતુ એજ્યુકેશન લોન હજુ પૂરી નથી થઈ.
લોનને કવર કરવા માટે અને ભવિષ્યના લક્ષ્યને પહોંચી વળવા માટે ઈન્શ્યોરન્સની જરુર છે.

-ઈન્શ્યોરન્સ બંધઃ 50 લાખ રુપિયા, ખર્ચમાં ઘટાડોઃ 7,493 રુપિયા વાર્ષિક
-ટોટલ કવરઃ 1.25 લાખ રુપિયા, ટોટલ પ્રીમિયમઃ 11,476 રુપિયા વાર્ષિક

6) ઉંમરઃ 65 વર્ષથી વધુ, સ્ટેટસઃ રિટાયર

બાળકો સેટલ થઈ ગયા છે. બધી જ લોન ચૂકવાઈ ગઈ છે. ઈન્શ્યોરન્સની જરુર નથી. જો તમે તમારી પાછળ કોઈ જ વારસો છોડવા ઈચ્છતાં નથી તો દરેક ટર્મ પ્લાન બંધ કરી દો.

-ઈન્શ્યોરન્સ કવરઃ નહિ, કવર કોસ્ટઃ નહિ.
-ટોટલ કવરઃ નહિ, ટોટલ પ્રીમિયમઃ નહિ

નોંધઃ દરેક પ્રીમિયમ મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સના ઓનલાઈન ટર્મ્સ પર આધારિત છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2Lnfzir

No comments:

Post a Comment

Pages