નવી દિલ્હી: સરકારે ગોલ્ડ ડોર (સોનાની પાટ)ની આયાતને રિસ્ટ્રિક્ટેડ કેટેગરી એટલે કે નિયંત્રણ હેઠળની કેટેગરી હેઠળ મૂકી દીધી છે. તેનો મતલબ એ કે ગોલ્ડ ડોરની આયાત માટે હવે આયાતકારે લાઇસન્સ લેવું પડશે. ડાયરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
ગોલ્ડ ડોર એક સેમિ પ્યોર અલોય છે, જેને વધુ શુદ્ધીકરણ માટે રિફાઇન કરવામાં આવે છે. રિફાઇન્ડ ગોલ્ડ બારનું ઉત્પાદન આ ગોલ્ડ ડોર બારમાંથી થાય છે. ચીન પછી ભારત વિશ્વમાં સોનાનો વપરાશ કરતો સૌથી મોટો દેશ છે. ભારતમાં દર વર્ષે સોનાની 90 ટનની સરેરાશ આયાત થાય છે.
વેલ્યૂની દૃષ્ટિએ ગોલ્ડની આયાત ઓક્ટોબરમાં 43 ટકા ઘટીને 1.68 અબજ ડોલર થઈ હતી. જ્વેલરી ઉદ્યોગની માંગ પૂરી કરવા માટે સોનાની આયાત કરવામાં આવે છે. એક અન્ય જાહેર નોટિસમાં ડીજીએફટીએ દેવી-દેવતાઓની 8 કેરેટથી લઈને 24 કેરેટની સોનાની મૂર્તિઓ માટે વેસ્ટેજ અને વેલ્યૂ એડિશન (મૂલ્યવૃદ્ધિ)ના નિયમો નક્કી કર્યા છે. તે મુજબ પ્લેઇન મૂર્તિ માટે વેસ્ટેજ 2.5 ટકા રહેશે અને સ્ટડેડ મૂર્તિ માટે પાંચ ટકા રહેશે. એ જ રીતે પ્લેઇન મૂર્તિ માટે વેલ્યૂ એડિશન 10 ટકા રહેશે, જ્યારે સ્ટટેડ મૂર્તિ માટે 14 ટકા રહેશે. હીરાજડિત મૂર્તિના કિસ્સામાં વેલ્યૂ એડિશન 15 ટકા રહેશે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2Ea4Ib2
No comments:
Post a Comment