Latest

Monday, December 3, 2018

સન ફાર્મા સામે ઈનસાઇડર ટ્રેડિંગનો કેસ ફરી ચાલશે

66914712

નવી દિલ્હી:સેબી સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ સામે ઈનસાઇડર ટ્રેડિંગનો કેસ ફરી ચલાવે તેવી શક્યતા છે. એટલું જ નહીં, કેટલાક પ્રમોટરો અને અન્ય એન્ટિટી દ્વારા વિદેશોમાંથી ફંડ એકત્ર કરવામાં કથિત ગેરરીતિ મામલે પણ તપાસ શરૂ કરે તેમ મનાય છે. એક વ્હીસલ બ્લોઅરે દસ્તાવેજો સાથે સેબીનો સંપર્ક કર્યો હતો અને તેમણે આક્ષેપ કર્યો હતો કે કંપની, તેના પ્રમોટર દિલીપ સંઘવી અને અન્યોએ વિવિધ પ્રકારે ગેરરીતિ કરી છે. રેનબેક્સીને ટેકઓવર કરવાને સંબંધિત આ કેસ હોવાનું મનાય છે.

ઓગસ્ટ 2017માં સન ફાર્મા, તેના મેનેજિંગ ડિરેક્ટર દિલીપ સંઘવી અને અન્ય નવ એન્ટિટીએ તેમની સામે ઈનસાઇડર ટ્રેડિંગ અંગેની તપાસના કેસમાં 18 લાખ રૂપિયા ચૂકવીને સેટલમેન્ટ કર્યું હતું. સૂત્રોએ કહ્યું હતું કે આ કેસ ફરી ચાલશે તેવી શક્યતા છે.

જે મુદ્દા ઉઠાવાયા છે તે સન ફાર્મા દ્વારા જાપાનીઝ કંપની દાઇચી પાસેથી રેનબેક્સીને હસ્તગત કરવાને સંબંધિત હોય તેમ જણાય છે. કારણ કે રેનબેક્સીના ભૂતપૂર્વ સીઇઓ અરુણ સોહની, દાઇચીના ડિરેક્ટર કાઝુનોરી હિરોકાવા, તેના પૂર્વ ચેરમેન તાકાશી શોડા અને તેના ભૂતપૂર્વ સિનિયર એક્ઝિક્યુટિવે પણ સેબી સાથે સેટલમેન્ટ કરેલું છે.

સેબીને અગાઉ ઈનસાઇડર ટ્રેડિંગ મામલે સેટલમેન્ટ થયા હોય તેવા કેસ ફરી શરૂ કરવાની સત્તા છે. કંપનીના પ્રમોટરોએ ફોરેન કરન્સી કન્વર્ટિબલ બોન્ડ (FCCB) મારફતે વિદેશમાંથી ફંડ એકત્ર કરવાના મામલે પણ ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ કરાયા છે, જેની તપાસ સેબી દ્વારા થાય તેવી સંભાવના છે.

સન ફાર્માના પ્રવક્તાએ વ્હીસલ બ્લોઅરની ફરિયાદ અંગે કહ્યું હતું કે, સેબીએ આ મામલે અમારો સંપર્ક કર્યો નથી. ગુરુવારે શેરબજારોએ એક બ્રોકરેજના રિપોર્ટ અંગે સન ફાર્મા પાસેથી સ્પષ્ટતા માંગી હતી, જેમાં કંપનીની કેટલીક પ્રેક્ટિસ અંગે સવાલ ઉઠાવાયા હતા. તેના જવાબમાં કંપનીએ કહ્યું હતું કે જે મુદ્દા ઉઠાવાયા છે તે ખૂબ જ જૂના છે અને કેટલાક તો 10-15 વર્ષ પહેલાંના છે. કેટલાક મુદ્દા અપૂરતા છે. પબ્લિક ડોમેઇનમાંથી માહિતી લઈને આ મુદ્દા ઉઠાવાયા છે. આમ, આ મુદ્દા તો અગાઉથી જાહેર થયેલા જ હતા.



from Page Array – I Am Gujarat https://ift.tt/2SrnI86

No comments:

Post a Comment

Pages