Latest

Friday, December 14, 2018

ખેડૂતોના દેવા માફ કરવા પર રાહુલ ગાંધીએ ફેરવી તોડ્યું?

રાહુલ ગાંધીનો આ વીડિયો ફરતો થયો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો એક એડિટ કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેના પરથી એવું લાગે છે કે, રાહુલ ગાંધીને વિધાનસભાની ચૂંટણીમાં સફળતા મળ્યા બાદ તેઓ ખેડૂતોના દેવા માફ કરવા મુદ્દે ફેરવી તોડ્યું છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી ચૂંટણી પહેલા મધ્ય પ્રદેશની એક રેલીમાં કરેલું નિવેદન અને ચૂંટણીના પરિણામના દિવસે કરેલી પત્રકાર પરિષદના કેટલાક નાના ટૂકાડઓ છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો

દસ દિવસમાં ખેડૂતોનું દેવું માફ

પહેલા વીડિયોમાં રાહુલ ગાંધી કહે છે કે, જો કોંગ્રેસ ચૂંટણી જીતશે તો 10 દિવસમાં સરકાર ખેડૂતોનું દેવું માફ કરી દેશે. જ્યારે બીજા એક વીડિયોમાં રાહુલ ગાંધી કહે છે કે, દેવામાંફીનો કોઈ ઉકેલ નથી. ફેસબુક પેજ ‘PMO India : Report Card‘ એ આ વીડિયો શરે કર્યો છે. જેમાં વીડિયોની સાથે એવું પણ પોસ્ટ કરવામાં આવ્યું છે કે, 24 કલાકમાં રાહુલ ગાંધીએ રંગ બદલ્યા. બંને વીડિયો વચ્ચે એવું લખ્યું છે કે, ચૂંટણીમાં જીત પહેલા અને ચૂંટણમાં જીત પછી.

આટલી વખત જોવાયો વીડિયો

આ વીડિયો અત્યાર સુધીમાં 3 લાખ 48 હજાર વખત જોવાઈ ચૂક્યો છે. જ્યારે 13 હજાર 816 લોકો તેને શેર કરી ચૂક્યા છે. જોકે, આ વીડિયો સાથે હકીકત એવી છે કે, ચૂંટણીના પરિણામ બાદ રાહુલ ગાંધીની પત્રકાર પરિષદનો સંપૂર્ણ વીડિયો જોવામાં આવ્યો હતો. જે વીડિયોને Indian National Congress ની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. સમગ્ર વીડિયોમાંથી માત્ર દેવું માફ કરવું એ કોઈ ઉકેલ નથી એ લાઈન્સને કટ કરીને ફેસબુક પર શેર કરી દેવામાં આવી છે. જોકે, સમગ્ર વીડિયોમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોંગ્રેસ સરકાર તાત્કાલિક દેવું માફ કરવા માટે પ્રક્રિયા શરૂ કરી દેશે.

આ હતો સમગ્ર મામલો

રાહુલ ગાંધીની પત્રકાર પરિષદનો સમગ્રર વીડિયો 14.40 મિનિટનો છે, જ્યા એક મહિલા પત્રકાર રાહુલ ગાંધી સાથે ખેડૂતોનું દેવુંમાફ કરવા મુદ્દે સવાલ કરે છે. 14.50 મિનિટ પર રાહુલ ગાંધી તેના સવાલનો જવાબ આપી રહ્યા છે. આ સમગ્ર વીડિયો એડિટ કરેલો છે. આ વીડિયોમાં રાહુલ સ્પષ્ટપણે કહે છે કે, જ્યારે કોંગ્રેસ સરકાર આવશે ત્યારે ખેડૂતના દેવા માફીની પ્રક્રિયા શરૂ કરી દેશે. આ પત્રકાર પરિષદમાં 22.34 મિનિટના વીડિયો પર ફરી એક પત્રકાર રાહુલ ગાંધીને દેવામાફી અંગે સવાલ કરે છે. જેના જવાબમાં રાહુલ ગાંધી કહે છે કે, દેવામાફીએ સર્પોટિંગ સ્ટેપ છે. કાયમી ઉકેલ નથી. ઉકેલ થોડો વધુ જટિલ હશે. ઉકેલ રૂપે આંતરમાળખુ બનાવી શકાશે, ટેકનોલોજી વિકસાવી શકાશે. જોકે, હવે કોંગ્રેસ સરકાર દેવામાફી કરશે કે નહીં તે સમય નક્કી કરશે.

 



from Page Array – I Am Gujarat https://ift.tt/2rAyXQ1

No comments:

Post a Comment

Pages