આ નામ રાખવા માગે છે યોગી
હૈદરાબાદઃ ઉત્તર પ્રદેશના બે મોટા શહેર ફૈઝાબાદ અને અલ્હાબાદનું નામ બદલ્યા બાદ ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેલંગણાની રાજધાની હૈદરાબાદનું નામ પણ બદલવા માગે છે. તેલંગણામાં હવે વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે ચૂંટણી પ્રચાર અર્થે પહોંચેલા યોગીએ હૈદરાબાદનું નામ બદલવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હૈદરાબાદનું નામ બદલીને તે ભાગ્યનગર કરવા માગે છે. આ માટે તેઓ સંપૂર્ણ રીતે તૈયાર છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો
આતંકીઓ સાથેના આ શહેરના સંબંધનો અંત કરો

રવિવારે તેલંગણાના શહેરમાં જનસભાને સંબોધીત કરી રહ્યા હતા ત્યારે તેણે આ વાત કરી હતી. માત્ર હૈદરાબાદનું નામ જ નહીં પણ આતંકીઓ સાથેના આ શહેરના સંબંધોનો પણ અંત કરવાની પણ જરૂરિયાત છે એવું તેને જણાવ્યું હતું. યોગીએ દાવો કર્યો કે, આવું માત્ર ભાજપ સરકાર જ કરી શકે. યોગીએ કહ્યું કે, ભાજપ દેશમાં ફરી રામરાજ્ય લાવવા માગે છે જેમાં તેલંગણાએ પણ પોતાની ભૂમિકા અદા કરવી જોઈએ. AIMIM ચીફ અસદુદ્દિન ઓવૈસીના મુખ્યમથકથી માત્ર 2 કિમી દૂર પર આયોજિત સભામાં કહ્યું કે, જો હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરવું હોય તો ભાજપને મત આપો. ભાજપને વોટ આપીને દેશમાં આતંકી હુમલાઓ અટકાવો. તમામ આતંકી હુમલાની કોઈને કોઈ લિંક હૈદરાબાદ સાથે હોય છે.
કોંગ્રેસ પર માર્યા ચાબખા

યોગીએ ઉમેર્યું કે, રાહુલ ગાંધીનો કોંગ્રેસ પક્ષક અને તેલંગણા રાષ્ટ્ર સમિતિ મુસ્લિમ તુષ્ટિકરણ કરી રહી છે. ભગવાન રામના જન્મસ્થળ પર ભવ્ય મંદિર નિર્માણ કરવાના માર્ગ પર કોઈ મુશ્કેલી ઊભી કરી રહ્યું છે તે છે કોંગ્રેસ. કોંગ્રેસની વિચારધારાને સમજી જાવ. વિકારાબાદના તંદુર જિલ્લામાં કહ્યું કે, તેલંગણામાં ભાજપ સરકાર બનશે તો ઓવૈસીએ હૈદરાબાદમાંથી ભાગવું પડશે. ભાજપ તમામને સુરક્ષા આપશે પણ અરાજકતા ફેલાવવાની અનુમતી કોઈને નહીં આપીયે.
નામ બદલાવવાનું કારણ આ હતું

મુઘલ બાદશાહ અકબરની જન્મ સતાપ્દી પર અલ્હાબાદનું નામ બદલીને યોગીએ તેને રિટર્ન ગિફ્ટ આપી છે. યોગીએ ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરી દીધું જ્યારે અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી દીધું છે. આ સાથે એવો પણ દાવો કર્યો હતો કે, અકબર બાદશાહે 16મી સદીમાં પ્રયાગરાજનું નામ બદલીને અલ્હાબાદ કરી દીધું હતું.
from Page Array – I Am Gujarat https://ift.tt/2Pd5khf
No comments:
Post a Comment