ટ્રાઈએ બદલ્યા નિયમ

નવી દિલ્હી: જો તમે તમારી વર્તમાન મોબાઈલ કંપનીથી પરેશાન છો અને તમારો નંબર કોઈ બીજી કંપનીમાં બદલવા ઈચ્છો છો તો તમારા માટે ખુશખબર છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP કે વર્તમાન ટેલિકોમ કંપનીની જગ્યાએ બીજી કંપનીની સેવા લેવી)ની સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
નંબર પોર્ટેબિલિટીના નિયમોમાં આ ફેરફાર કરાયો

ટેલિકોમ રેગ્યુલેટરએ સર્વિસ એરિયાની અંદર નંબર બદલવા સાથે જોડાયેલી રિક્વેસ્ટ માટે કામકાજના બે દિવસોની સમય મર્યાદા નક્કી કરાઈ છે. તો, એક ટેલિકોમ સર્કલથી બીજા સર્કલમાં નંબર બદલવા સંલગ્ન રિક્વેસ્ટ માટે 4 દિવસનો સમય નક્કી કરાયો છે. આ ઉપરાંત જો ટેલિકોમ કંપનીઓ મોબાઈલ નંબર પોર્ટ કરાવવા અંગેની રિક્વેસ્ટને ખોટી રીતે રિજેક્ટ કરે છે, તો તેના પર 10,000 રૂપિયા સુધીની પેનલ્ટી લાગશે.
પોર્ટિંગમાં ઝડપ લાવવા બદલાયા નિયમ

ટ્રાઈએ કહ્યું કે, ‘પોર્ટિંગ સાથે જોડાયેલી રિક્વેસ્ટ (કોર્પોરેટ કેટેગરીને છોડીને બાકી બધા મામલે)ને પૂરી કરવામાં ઝડપ લાવવા માટે ઈન્ટ્રા-લાઈસન્સ્ડ સર્વિસ નંબર્સ માટે સમય મર્યાદા 2 કામકાજના દિવસો નક્કી કરાયા છે.’ ટ્રાઈએ કહ્યું છે કે એક સર્કલથી બીજા સર્કલવાળી પોર્ટ રિક્વેસ્ટ માટે સમય મર્યાદા ઘટાડીને 4 દિવસ કરી દેવાઈ છે. પહેલા તે સમય મર્યાદા 15 દિવસ હતી.
યુનિક પોર્ટિંગ કોડ વેલિડિટીમાં પણ કરાયો ફેરફાર

આ ઉપરાંત, યુનિક પોર્ટિંગ કોડ (યુપીસી)ની વેલિડિટીમાં પણ ફેરફાર કરાયો છે. પહેલાના 15 દિવસને બદલે હવે તે 4 દિવસ માટે માન્ય રહેશે. જોકે, જમ્મુ-કાશ્મીર, આસામ અને ઈશાન માટે યુનિક પોર્ટિંગ કોડ (યુપીસી)ની વેલિડિટીમાં ફેરફાર નથી કરાયો, તે પહેલાની જેમ જ 15 દિવસ રહેશે. ટેક્સ્ટ મેસેજ (SMS) દ્વારા પોર્ટિંગ રિક્વેસ્ટને પાછી લેવાની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવાઈ છે. કોર્પોરેટ પોર્ટિંગના મામલા માટે સિંગલ ઓથોરાઈઝેશન લેટરની વર્તમાન 50 નંબરની મર્યાદાને વધારીને 100 નંબર કરી દેવાઈ છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2RXGFze
No comments:
Post a Comment