Latest

Friday, December 14, 2018

ચોખામાં હોય છે કેમિકલ, રાંધતા પહેલા આ રીતે ભૂલ્યા વગર કરો સાફ

શા માટે ધોવા જોઈએ ચોખા?

ચોખાની ટ્રેડિશનલ વાનગીઓ ભારતીય કલ્ચરમાં મહત્વનું સ્થાન ધરાવે છે. દરેક ભારતીય ઘરમાં ચોખાની વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનતી હોય છે. ચોખાની વાનગીઓને કોઈપણ વ્યંજન સાથે મિશ્રણ કરીને સ્વાદની લિજ્જત માણી શકાય છે. ચોખાને સરળતાથી રાંધી શકાય છે અને સહેલાઈથી દરેક જગ્યાએ મળી પણ જાય છે. કેટલીકવાર ચોખાને ઓઈલ અને કેમિકલ્સથી પૉલિશ કરવામાં આવે છે. જ્યારે ચોખાની સાચવણી માટે પણ પેસ્ટિસાઈડ્ઝ અને કેમિકલ વાપરવામાં આવે છે. આ કારણોસર ચોખાને રાંધતા પહેલા અચૂક સાફ કરવા જોઈએ. આવો જાણીએ રીત..

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

સ્ટેપ 1

એક ઊંડા અને પહોળા બાઉલમાં ચોખા લો. તેમાં થોડું પાણી ઉમેરો અને આશરે અડધી કલાક જેટલું રહેવા દો. આ પછી પાણીને નીકાળી દો.

સ્ટેપ 2

આ પછી બાઉલમાં ફરી થોડું પાણી નાખો. પાણી એટલું નાખવું જોઈએ જેથી કરી સમગ્ર ચોખા પાણીમાં ડૂબી જાય.

સ્ટેપ 3

સ્વચ્છ હાથથી ચોખાને સાફ કરો. ચોખાને એવી રીતે સાફ કરવાં જોઈએ. જેથી એકબીજા જોડે હળવા ઘસાતાં રહે. તમને જોવા મળશે કે બાઉલની અંદર રહેલું પાણી થોડું મેલું દેખાશે. જે ચોખામાં રહેલી અશુદ્ધિઓને દર્શાવે છે.

સ્ટેપ 4

બાઉલને થોડું હલાવો જેથી કરીને ચોખા નીચે જમાં થઈ જશે અને અશુદ્ધ પાણી ઉપર રહેશે. આ અશુદ્ધ પાણીને નીતારી દો.

સ્ટેપ 5

આ પ્રોસેસને ત્યાં સુધી કરતાં રહો જ્યાં સુધી પાણી ચોખ્ખું ન થઈ જાય. જ્યારે પાણી ચોખ્ખું થઈ જાય ત્યારે સમજી લેવું કે ચોખામાં રહેલી અશુદ્ધિઓ તેમજ પેસ્ટિસાઈડ્ઝ નીકળી ગયાં છે.

સ્ટેપ 6

આ પછી ચાળણીમાં ભીના ચોખાને થોડીવાર સુધી રાખી મૂકો. પંદર મિનિટમાં લગભગ પૂરી રીતે ચોખા નીતરી જશે.

શા માટે મહત્વની છે આ પ્રોસેસ

ચોખા ધોવાની આ પ્રોસેસ ખૂબ જ મહત્વની છે. કારણકે આમ કરવાથી ચોખા પર જમા થયેલી ધૂળ તેમજ પેસ્ટિસાઈડ્સ દૂર થઈ જાય છે. આ ઉપરાંત પાણી ચોખા પર રહેલા ખરબચડાં ટેક્સચરને દૂર કરીને લીસું બનાવે છે. જેથી કરીને જ્યારે પણ ચોખા રાંધવામાં આવે ત્યારે એકબીજા સાથે ચોંટી જતાં નથી. આ ઉપરાંત ભાત પણ છુટો બને છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2QxZigo

No comments:

Post a Comment

Pages