Latest

Thursday, December 13, 2018

જમવાનો બગાડ થાય નહીં તે માટે આ રાજ્યની સરકાર નક્કી કરશે લગ્નના મહેમાનોની સંખ્યા

ખર્ચાળ લગ્નોમાં જમવાનો બગાડ થાય નહીં તે માટેનો નિર્ણય

દિલ્હી સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું તે તેઓ મોંઘા લગ્નોમાં મહેમાનીનો સંખ્યા સીમિત કરવા અને આવા સમારોહમાં જમવાનો બગાડ રોકવા માટે કેટરિંગ સિસ્ટમને યોગ્ય કરવા માટે એક નીતિ બનાવવાનો વિચાર કરી રહી છે. ખર્ચાળ લગ્નોમાં જમવાનો બગાડ થાય નહીં તે માટે આ કરવામાં આવશે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

મોંઘા લગ્નોમાં મહેમાનોને લિમિટેડ કરી શકાય

જસ્ટિસ મદન બી લોકૂરની બેંચે દિલ્હીના મુખ્ય સચિવ વિજય કુમાર દેવને જણાવ્યું કે કોર્ટે 5 ડિસેમ્બરના આદેશમાં ઉઠાવવામાં આવેલા આ મુદ્દે ચર્ચા કરી છે. આ આદેશમાં કોર્ટે ત્યાં હાજર દેવને કહ્યું કે સરકાર કોર્ટના વિચારની દિશામાં જ કાર્ય કરી રહી છે. દેવે કહ્યું કે એકબાજુ આપણે મહેમાનોને લિમિટેડ કરી શકીએ છીએ તો બીજી બાજુ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ભૂખ્યા અને અન્ય લોકોને ખાવાનું ઉપલબ્ધ કરાવતી એનજીઓની વચ્ચે એક વ્યવસ્થા બનાવી શકાય તેમ છે.

લગ્નમાં વધેલા જમવાનું શું કરવું તે અંગેનો નિર્ણય

તેમણે વધુમાં જણાવ્યું કે આજે પણ દિલ્હીમાં લગ્ન સમારોહમાં વધેલા જમવાનો બગાડ થાય છે અને ત્યારબાદ આ વધેલું ફૂડ કેટરિંગવાળા અન્ય લગ્નમાં ઉપયોગમાં લે છે. કોર્ટની બેંચે દેવને કહ્યું કે પહેલા આ મુદ્દે એક પોલિસી તૈયાર કરવામાં આવે અને ત્યારબાદ જ તે અંગે નિર્ણય લેવામાં આવે. બેંચે મુખ્ય સચિવને આગામી 6 અઠવાડિયાની અંદર આ મુદ્દે પોલિસી તૈયાર કરવાનો આદેશ આપ્યો અને 5 ફેબ્રુઆરીએ તેની આગામી સુનાવણી કરવામાં આવશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2Ev9W1p

No comments:

Post a Comment

Pages