બીજી ટેસ્ટ મેચ પર્થમાં રમાશે

પર્થઃ એક સમય હતો જ્યારે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડની ક્રિકેટ પીચ પર ભારતીય ખેલાડીઓ રમી શકતા નહોતા. ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં પર્થની પિચને તો વધારે ખતરનાક ગણવામાં આવે છે. પરંતુ હવે સમય બદલાયો છે અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી દ્વારા આ બદલાયેલા સમયની એક ઝલક બીજી ટેસ્ટના પહેલા જોવા મળી. બીજી ટેસ્ટ પર્થમાં થવાની છે અને કોહલીએ પિચ પર જોવા મળી રહેલા ઘાસ અંગે એવું નિવેદન આપ્યું છે કે ઓસ્ટ્રેલિયાનો આત્મવિશ્વાસ ડગાવવા માટે પૂરતો છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
પિચ પર ઘાસ જોઈને ટીમ ઈન્ડિયા ઉત્સાહિત

કોહલીએ કહ્યું કે પિચ પર ઘાસ જોઈને ટીમ ઈન્ડિયામાં ચિંતાને બદલે ઉત્સાહમાં છે. ભારતીય કેપ્ટને ઓસ્ટ્રેલિયાને પડકાર આપ્યો છે કે આશા છે કે આ પિચ પર ઘાસને રહેવા દેવામાં આવે.
ઓસ્ટ્રેલિયાના બોલરો પર દબાવ બનાવવાની કોશિશ

ભારતે ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે 1-0ની લીડ મેળવી લીધી છે. કોહલી હંમેશા આક્રમક અંદાજમાં જોવા મળે છે. પિચ પર નિવેદન આપીને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરોને મનોવૈજ્ઞાનિક દબાવ બનાવવાની કોશિશ કરી છે.
કોહલીએ કહ્યું કે પિચ પરથી ઘાસ હટાવવામાં ન આવે

બીજી ટેસ્ટની પૂર્વ સંધ્યાએ પત્રકારો સાથે વાત કરતા કોહલીએ કહ્યું કે, ‘અમે જીવંત પીચ જોઈને ચિંતા કરવાને બદલે ઉત્સાહિત છીએ. અમે સમજીએ છીએ કે અમારી પાસે એવું બોલિંગ આક્રમણ છે કે વિરોધી ટીમને આઉટ કરી શકીએ છીએ. આશા છે કે હવે પિચ પરથી ઘાસ હટાવવામાં ન આવે. અમે એક ટીમ તરીકે આ પિચથી ખુબ ખુશ છીએ.’
from Page Array – I Am Gujarat https://ift.tt/2zSF7Q4
No comments:
Post a Comment