Latest

Wednesday, December 5, 2018

મલાઈકા-અર્જુનની રિલેશનશીપ પર કાકા અનિલ કપૂરે આપ્યું આવું રિએક્શન

અર્જુન-મલાઈકાનું અફેર ચર્ચામાં

છેલ્લા થોડા સમયથી અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એકબીજાને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આજ સુધી ખુલીને બંનેમાંથી કોઈએ પણ પોતાની રિલેશનશીપ પર કશું કહ્યું નથી પરંતુ તાજેતરમાં જ અર્જુને સિંગલ ન હોવાનું કબૂલ્યું છે. મલાઈકા અને અર્જુન અવારનવાર પબ્લિક પ્લેસ પણ સાથે પણ જોવા મળ્યા છે. હવે બંને લગ્ન કરશે તેવી અટકળો પણ ચાલી રહી છે. ટીવી શો ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ના મંચ ઉપર બંને હાથ પકડીને સાથે આવ્યા અને કન્ટેસ્ટન્ટ સાથે ડાન્સ કર્યો ત્યારથી જ બંનેની રિલેશનશીપ અંગે ચર્ચા થવા લાગી.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

અનિલ ચાચુએ રિલેશનશીપ અંગે કહ્યું…

‘નો ફિલ્ટર વિથ નેહા સિઝન 3’માં તાજેતરમાં જ બોલિવુડ અભિનેતા અને અર્જુન કપૂરના કાકા અનિલ કપૂરે હાજરી આપી હતી. શોમાં અનિલને અર્જુન અને મલાઈકાના સંબંધો વિશે પૂછવામાં આવ્યું. અનિલે કહ્યું કે, “હું અર્જુનને સારી રીતે ઓળખું છું. જે બાબતથી અર્જુન ખુશ થાય છે તેમાં હું પણ ખુશ છું. રિલેશનશીપ અંગે હું કોઈ કમેન્ટ નથી કરવા માગતો કારણકે તે ખૂબ અંગત બાબત છે. અમારો પરિવાર માને છે કે જે સભ્યને કોઈ વસ્તુથી ખુશી મળતી હોય તેમાં તેની સાથે ખુશ થવું.”

એપ્રિલ 2019માં પરણશે મલાઈકા-અર્જુન?

અર્જુન ‘અનિલ ચાચુ’ની ખૂબ નજીક છે અને અનિલના સ્ટેટમેન્ટ પરથી લાગે છે કે મલાઈકા-અર્જુનની રિલેશનશીપને તેમની મંજૂરી મળી ગઈ છે. અટકળો છે કે આ સ્ટાર કપલ આવતા વર્ષે એપ્રિલ મહિનામાં લગ્નના તાંતણે બંધાશે.

અર્જુન-મલાઈકાએ ખરીદ્યું ઘર

રિપોર્ટ્સ પ્રમાણે, અર્જુન અને મલાઈકાએ લોખંડવાલા કોમ્પ્લેક્સ પાસે એક ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટ ખરીદવામાં બંનેએ રૂપિયા આપ્યા છે. એટલે લગ્ન પછી મલાઈકા અને અર્જુન આ ફ્લેટમાં સાથે રહે તો નવાઈ નહીં. જણાવી દઈએ કે, મલાઈકા અને અરબાઝ ખાન 2016માં છૂટા પડ્યા અને 2017માં તેમણે ડિવોર્સ લીધા.



from Page Array – I Am Gujarat https://ift.tt/2Ehjtss

No comments:

Post a Comment

Pages