Latest

Wednesday, December 5, 2018

GSK-HUL સોદો: ટેક્સની છટકબારી શોધવાની તૈયારી



66947668

સચિન દવે

મુંબઈ:યુનિલીવર દ્વારા GSK Plcના ભારત ખાતેના બિઝનેસનું ટેકઓવર અને HUL સાથે તેના મર્જરની પ્રક્રિયામાં ટેક્સનું આયોજન સૌથી મહત્ત્વનું બનશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને વૈશ્વિક કંપની વચ્ચેના સોદાનું માળખું એવું છે કે, ભારતના ટેક્સ વિભાગને GSKના ભારતીય બિઝનેસ અને HUL વચ્ચેના મર્જર ટ્રાન્ઝેક્શનમાંથી કદાચ કોઈ રકમ નહીં મળે.

આંતરિક વર્તુળોના જણાવ્યા અનુસાર મુખ્યત્વે ત્રણ બાબતોમાં સંભવિત કરવેરા આયોજનની જરૂર પડશે અને ભવિષ્યમાં ટેક્સની માંગ ઊભી થઈ શકે. પહેલી સ્થિતિ પ્રમાણે મર્જર ભારતમાં થવાનું હોવાથી ટેક્સની માંગણી થઈ શકે.

ટેક્સ વિભાગમાં સક્રિય એક સૂત્રના જણાવ્યા અનુસાર મર્જર માટે HULને ગૂડવિલના ઘસારાનો લાભ મળી શકશે. ETએ સોદા સાથે સંકળાયેલા ટેક્સ નિષ્ણાતો અને વકીલો સાથે વાત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર HUL નાણાકીય હિસાબોમાં ગૂડવિલ પર ઘસારાનો લાભ લઈ આવકવેરો બચાવી શકે. ગૂડવિલ પર ઘસારો ગણવાથી કંપનીની આવકમાં ઘટાડો થશે અને એટલે તેણે ઓછો ટેક્સ ચૂકવવો પડશે.

ટેક્સ એડવાઇઝરી કંપની ટ્રાન્ઝેક્શન સ્ક્વેરના સ્થાપક ગિરીશ વન્વારીએ જણાવ્યું હતું કે, “મર્જરને કારણે HULના ચોપડે એકાઉન્ટિંગ ગૂડવિલ અને અન્ય ઇન્ટેન્જિબલ એસેટ્સ ઊભી થશે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને આધારે HUL ગૂડવિલ પર ઘસારો ક્લેમ કરી શકશે. આ ક્લેમ સ્વીકારવામાં આવશે તો HULનો અસરકારક ટેક્સ રેટ ઘટશે અને ટેક્સની મોટી બચત થશે.”

ETએ સૌથી પહેલાં ૨૪ મેના રોજ GSK સંભવિત ખરીદદાર સાથે મર્જર, શેર સ્વોપની શક્યતા વિચારી રહી હોવાની માહિતી આપી હતી. સૂત્રએ ETને જણાવ્યું હતું કે, “GSK અને ભારત ખાતેના સંભવિત ખરીદદાર વચ્ચે મર્જર થઈ શકે. ત્યાર પછી શેર સ્વોપની મદદથી GSKના શેરધારકો કંપનીમાંથી એક્ઝિટ થવાનું વિચારશે.”

મર્જરમાં GSK કન્ઝ્યુ હેલ્થકેરનું મૂલ્ય ₹31,700 કરોડ આંકવામાં આવ્યું છે. તેના શેરધારકોને દરેક શેર સામે HULના 4.39 શેર મળશે. મર્જર પછી HULમાં યુનિલીવરનો હિસ્સો 67.2 ટકાથી ઘટીને 61.9 ટકા થશે. GSK Plc મર્જર પછીની કંપનીમાં 5.7 ટકા હિસ્સા સાથે બીજી સૌથી મોટી શેરધારક બનશે. કંપની કોઈ પણ રોકાણકારને હિસ્સો વેચી શકશે અને યુનિલીવર પાસે આ શેર્સ ખરીદવાનો એક્સ્ક્લુઝિવ હક નથી.

મર્જર પર કદાચ ટેક્સ નહીં લાગે, પણ ટ્રાન્ઝેક્શનના અન્ય તબક્કા પર વેરો લાગી શકે. સોદા મુજબ GSK Plcની માલિકીની હોર્લિક્સ બ્રાન્ડ યુનિલીવર હસ્તગત કરવાની છે અને HUL ભારતમાં તેના વપરાશ માટે રોયલ્ટી ચૂકવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટેક્સ વિભાગ શેર્સની પરોક્ષ ટ્રાન્સફર સંબંધી જોગવાઈ લાગુ કરી ટ્રાન્ઝેક્શનના આ તબક્કા પર ટેક્સની માંગણી કરી શકે. બિઝનેસનું 80 ટકા વેલ્યુએશન ભારતમાંથી આવતું હોવાને કારણે શેર્સની પરોક્ષ ટ્રાન્સફરની જોગવાઈ લાગુ કરી શકાય.

બંને કંપની વચ્ચે સોદાના ત્રીજા હિસ્સામાં સમાન ટ્રાન્ઝેક્શન પર પરોક્ષ વેરા લેવાની બાબત સામેલ છે. HUL અને GSKને વાટાઘાટ વખતે 12 ટકાના દરે GST લાગુ થવાની આશંકા હતી. બંને કંપનીએ GST ન ચૂકવવો પડે એવી રીતે સોદાનું માળખું તૈયાર કરવા ટેક્સ નિષ્ણાતોનો સંપર્ક કર્યો હતો.



from Page Array – I Am Gujarat https://ift.tt/2PfpEOZ

No comments:

Post a Comment

Pages