Latest

Thursday, December 6, 2018

IL&FSમાં ગેરરીતિ માટે એમ્પ્લોયી ટ્રસ્ટનો દુરુપયોગ



66965936

રીના ઝકરિયા

મુંબઈ:સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિંગેશન ઓફિસ (SFIO) જણાવ્યું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસિસ (IL&FS)એ એમ્પ્લોયી ટ્રસ્ટ લોનની ચુકવણી કરશે નહીં તેવું અગાઉથી જાણતા હોવા છતાં આ ટ્રસ્ટને આશરે ₹400 કરોડની લોન આપી હતી, એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

કંપની બાબતોના મંત્રાલયને આપેલા વચગાળાના અહેવાલમાં આ તપાસ સંસ્થાએ જણાવ્યું હતું કે IL&FS એમ્પ્લોયી વેલ્ફેર ટ્રસ્ટ (EWF)નું કંપનીના ભૂતપૂર્વ ડિરેક્ટર્સનું વર્ચસ હતું અને ગ્રૂપ કંપનીઓના ભોગે પોતાને લાભ થાય તેવા નિર્ણય કરાવ્યા હતા.

આવા વ્યક્તિઓમાં ભૂતપૂર્વ ચેરમેન રવિ પાર્થસારથિ, ભૂતપૂર્વ એમડી હરી સંકરન, ભૂતપૂર્વ સીઇઓ અરુણ કુમાર સાહા, ભૂતપૂર્વ સીઆઇઓ વિભવ કપૂર અને IL&FS ફાઇનાન્શિયલ સર્વિસિસના ભૂતપૂર્વ એમડી આર સી બાવા વગેરેનો સમાવેશ થાય છે. તેઓ IL&FSના પેટાકંપનીઓના કમિટી ઓફ ડિરેક્ટર્સના સભ્યો પણ હતા.

SFIOની તપાસમાં જણાયું છે કે અત્યાર સુધી આ ટ્રસ્ટના કોન્ટ્રાક્ટમાં છ વખત સુધારો થયો છે. કેટલાક સુધારા IL&FSના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંજૂરી વગર કરવામાં આવ્યા હતા. આ ટ્રસ્ટની રચના IL&FS ગ્રૂપની તમામ કંપનીઓના કર્મચારીઓના વેલ્ફેર માટે કરવામાં આવી હતી.

આ ટ્રસ્ટને IL&FS અને ગ્રૂપ કંપનીઓની સિક્યોરિટીમાં રોકાણનું માધ્યમ બનાવવામાં આવ્યું હતું. તે માટે IL&FS અને તેની ગ્રૂપ કંપનીઓ પાસેથી લોન મેળવવામાં આવી હતી અને તે પછી ગ્રૂપના કેટલાક મેનેજમેન્ટ અધિકારીઓને વિવિધ પદ્ધતિએ નીચા ભાવે શેરની વહેંચણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત આ રોકાણનું વેચાણ થર્ડ પાર્ટીને થયું હતું અને તેનાથી થયેલા નફાની મેનેજમેન્ટ સ્તરના કેટલાક અધિકારીમાં વહેંચણી કરવામાં આવી હતી. મુંબઈમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુશનલને સુપરત કરેલા અહેવાલમાં તપાસ એજન્સીએ આ માહિતી આપી હતી.

અહેવાલમાં હાઈલાઇટ કરવામાં આવ્યું છે કે વ્યક્તિગત સમૃદ્ધિ માટેના માધ્યમ તરીકે આ ટ્રસ્ટનો ઉપયોગ કરીને IL&FS લિમિટેડના મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ અધિકારીઓ ગેરરીતિ અને બેજવાબદાર નિર્ણય કર્યા હતા. ₹500 કરોડની બાકી લોન સાથે આ ટ્રસ્ટ હાલમાં IL&FSમાં આશરે 12 ટકા ઇક્વિટી હિસ્સો ધરાવે છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2AYLz86

No comments:

Post a Comment

Pages