Latest

Saturday, December 1, 2018

NAT-પરીક્ષણ HIVનું જોખમ ઘટાડવામાં મદદરુપ થઈ શકે

અમદાવાદઃ આજે વર્લ્ડ એઈડ્સ દિવસ નિમિત્તે દુનિયા ભરમાં આ ગંભીર રોગને લગતી જાગૃતિના કાર્યક્રમો કરીને ઉજવણી કરવામાં આવી રહી છે. અસલામત જાતિય સંબંધોના કારણે આ રોગ ફેલાવાનું સૌથી મોટું જોખમ રહેલું છે. ભારતની વાત કરીએ તો 2017માં અંદાજે 21.40 લાખ લોકો HIVથી પીડાતા હતા. જેમાંથી 20 ટકા લોકોને આ ગંભીર રોગ લાગુ પડ્યો હોવાની જાણ જ નહોતી.

નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (NACO) દ્વારા વર્ષ 2016માં બ્લડ બેંકોની માહિતી એકઠી કરવામાં આવી, જેના પ્રમાણે દેશમાં કુલ 2626 બ્લડ બેંક કાર્યરત છે. ભારતમાં લોહીની જરુરિયાત કરતા ઓછું લોહી પ્રાપ્ત થાય છે.

પ્રાપ્ત થયેલા લોહીના ત્રણ ઘટકોને અલગ પાડીને ત્રણ વ્યક્તિને દાન કરવામાં આવે છે આ પ્રક્રિયા માટે ન્યુક્લિક એસિડ એમ્પિલિફિકેશન (NAT) વધારે અસરકારક માનવામાં આવે છે. NAT ટેક્નોલોજીથી વાયરલ ઈન્ફેક્શન સાથે ડોનેશનના વિન્ડો પિરિયડને ઓળખવામાં મદદરુપ થાય છે. વિદેશોમાં આ ટેક્નોલોજીને ફરજિયાત કરવામાં આવી છે જ્યારે ભારતમાં 81 સાઈટ પર NATનો અમલ થાય છે. જોકે, આ પરિક્ષણને ભારતમાં ફરજિયાત બનાવાયું નથી.

HIV જેવી ગંભીર બીમારીને અટકાવવા માટે યોગ્ય પરીક્ષણ અને ઈન્ફેક્ટેડ અજાણ લોકોને જાણ થાય તે પણ જરુરી છે. ભારતમાં HIV પરીક્ષણને પ્રોત્સાહન આપવાના પ્રયાસો પણ જરુરી છે. હવે ભારતમાં તમામ બ્લેડ બેંકોમાં NAT-પરીક્ષણનો ઉપયોગ થાય તેવું નિષ્ણાંતો દ્વારા માનવામાં આવી રહ્યું છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2re2H54

No comments:

Post a Comment

Pages