મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મંગળવારે જણાવ્યું હતું કે તે 6 ડિસેમ્બરે ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ ખરીદીને સિસ્ટમમાં ₹10,000 કરોડ ઠાલવશે. આ પગલાંથી સિસ્ટમમાં તરલતામાં વધારો થશે.
આ ખરીદી ઓપન માર્કેટ ઓપરેશન્સ (ઓએમઓ) દ્વારા કરવામાં આવશે. મધ્યસ્થ બેન્કે જણાવ્યું કે વર્તમાન લિક્વિડિટીની સ્થિતિના મૂલ્યાંકન તથા તરલતાની સ્થિતિના અંદાજ પરથી આરબીઆઇએ 6 ડિસેમ્બરે 10,000 કરોડ ઠાલવવાનો નિર્ણય લીધો છે.
ઓએમઓ કામગીરીથી તરલતાની સ્થિતિ સુધરશે. આઇએલ એન્ડ એફએસ ગ્રૂપની કંપનીઓના શ્રેણીબદ્ધ ડિફોલ્ટના કારણે તરલતાની સ્થિતિને અસર થઈ છે. લાયકાત ધરાવતા પાર્ટિસિપન્ટ્સ તેમની ઓફર ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં આરબીઆઇ કોર બેન્કિંગ સોલ્યુશન સિસ્ટમ પર સોંપી શકશે. સમાન દિવસે જ ઓક્શનનાં પરિણામ જાહેર થશે અને સફળ હિસ્સેદારોને ત્યાર પછીના દિવસે પેમેન્ટ કરાશે. આરબીઆઇએ 12 દિવસના ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા મેનેજમેન્ટ બિલ હેઠળ ઓક્શનની પણ જાહેરાત કરી હતી.
from Page Array – I Am Gujarat https://ift.tt/2zLAJlR
No comments:
Post a Comment