Latest

Sunday, January 27, 2019

રાજકોટ-ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 5 લોકોને કાળ ભેટી ગયો

રાજકોટ-ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત

અમદાવાદઃ રવિવારની સવારે રાજકોટ-ભાવનગર હાઈવે પર એક કાળમુખી ઘટના બની હતી. જેમાં પાંચ જેટલા લોકોના મોત નિપજ્યા છે. લગ્ન પ્રસંગમાં જઈ રહેલા આ લોકોની કારને વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. જેમાં ઘટના સ્થળ પર જ પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતમાં 5 લોકોનાં મોત

સ્થાનિક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ કેટલાક લોકો કાર લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન રાજકોટ-ભાવનગર હાઈવે પર આટકોટ-જંગવડ રોડ નજીક પૂર ઝડપે જઈ રહેલી કાર પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં સવાર 7 લોકોમાંથી 5 લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા

અકસ્માતની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડીને મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યા હતા. પ્રાથમિક વિગતો અનુસાર મૃતકો ભાવનગરના રંઘોણા ગામના રહેવાસીઓ હતા. અને તેઓ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા.



from Page Array – I Am Gujarat http://bit.ly/2DAYIXc

No comments:

Post a Comment

Pages