મહાકુંભમાં કિન્નરો
નેહા લાલચંદાણી, અલ્હાબાદ: કુંભમેળામાં નીકળેલી દેવતા યાત્રામાં કિન્નર અખાડો જ્યારે રસ્તા પરથી નીકળ્યો ત્યારે જાણે કુંભનગરી અલ્હાબાદ જાણે થોભી ગઈ હતી.
લોકો જોતા જ રહી ગયા

અખાડા પરિષદ દ્વારા માન્યતા ન મળવા છતાં કિન્નર અખાડાએ કુંભનગરીમાં એવો જબરજસ્ત વરઘોડો કાઢ્યો હતો કે લોકો બસ તેને જોતા જ રહી ગયા હતા.
જબરજસ્ત ભીડ ભેગી થઈ ગઈ

કિન્નર અખાડો નીકળ્યો ત્યારે જેટલી ભીડ જોવા મળી તેટલી ભીડ પેશવાઈ અથવા દેવતા યાત્રામાં અત્યાર સુધી ભાગ્યે જ જોવા મળી છે.
લોકો આશિર્વાદ લેવા તૂટી પડ્યાં

કિન્નરોનો વરઘોડો થોડા-થોડા અંતરે રોકાતો હતો, અને લોકો મોટી સંખ્યામાં તેમના આશિર્વાદ લેવા માટે ઉમટી પડતાં હતાં.
બાળકોને પણ આશિર્વાદ અપાવ્યા

પોતાના બાળકોને પણ લોકો કિન્નરોના હાથમાં આપી તેમને આશિર્વાદ અપાવતા નજરે પડ્યાં હતાં, કિન્નરોએ પણ પ્રેમથી લોકોને આશિર્વાદ આપ્યા હતા, અને ચોકલેટ પણ વહેંચી હતી.
કોણ છે આ અખાડાના મહામંડલેશ્વર?

કિન્નર અખાડાની સ્થાપના બાદ તેની સૌથી પહેલી પેશવાઈ ઉજ્જૈન કુંભ વખતે નીકળી હતી. અખાડાના મહામંડલેશ્વર સ્વામી લક્ષ્મીનારાયણ ત્રિપાઠી ઊંટ પર સવાર થઈને નગરમા નીકળ્યાં હતાં, અને પુરુષપ્રધાન વ્યવસ્થા સામે સ્વયં જ સંદેશ આપી રહ્યા હતા.
બહાર રાખવાના ઘણા પ્રયાસ થયા

મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ ચોખ્ખું જ કહી દીધું હતું કે, 13 અખાડાઓની માન્યતાની તેમને કશીય જરુર નથી. શાસ્ત્રો અનુસાર અમે સનાતની હિંદુઓ છીએ. અમને બહાર રાખવાના ઘણા પ્રયાસો થયા, છતાં અમે અહીં આવ્યા છીએ.
દેશભરના ટ્રાન્સજેન્ડર જોડાયા

ફુલોના વરસાદ, દેશભક્તિના ગીતો, વિવિધ રંગો અને બેંડવાજા સાથે નીકળેલી કિન્નરોની દેવતા યાત્રામાં દેશભરમાંથી ટ્રાન્સજેન્ડરો જોડાયાં હતાં.
ભગવો રંગ ન દેખાયો

કુંભમાં આવેલા દરેક અખાડાની યાત્રામાં ભગવો રંગ મોટા પ્રમાણમાં દેખાય છે, પરંતુ કિન્નરોના વરઘોડામાં તે ભાગ્યે જ જોવા મળ્યો હતો.
દેવી જેવો શણગાર

આ અખાડામાં કેટલાક કિન્નરો દેવી જેવો શણગાર કરીને બગીમાં બેઠાં-બેઠાં લોકોને આશિર્વાદ આપી રહ્યાં હતાં.
ખૂલ્લી તલવારો સાથે

તો કેટલાક કિન્નરો ઘોડાની સવારી કરી રહ્યાં હતાં, અને તેમના હાથમાં ખૂલ્લી તલવાર હતી.
મન મૂકીને નાચ્યાં કિન્નર

લોકોને આપ્યા આશિર્વાદ

from Page Array – I Am Gujarat http://bit.ly/2FcMKVW
No comments:
Post a Comment