Latest

Wednesday, January 30, 2019

શેર્સના ભાવને ભોંયભેગા કરવાની મોડસ ઓપરેન્ડી?



67754064

ભાર્ગવ ત્રિવેદી

અમદાવાદ:ઇક્વિટી રોકાણકારોનો મોટો હિસ્સો ભારતીય શેરબજારથી સતત નારાજ જોવા મળી રહ્યો છે. વાત મિડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સના ઘટાડા પૂરતી જ સીમિત નથી પરંતુ છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં સન ફાર્મા અને ત્યાર બાદ ઝી એન્ટરટેઇનમેન્ટ જેવા મજબૂત મેનેજમેન્ટ ધરાવતાં કાઉન્ટર્સમાં પણ ઓવરનાઇટ નેગેટિવ અહેવાલોને કારણે શેરના ભાવમાં જોવા મળેલા કડાકાએ તેમને આંચકો આપ્યો છે.

આ અગાઉ પીસી જ્વેલર્સ, મનપસંદ બેવરેજિસ, યસ બેંક, ડીએચએફએલ જેવાં કાઉન્ટર્સમાં પણ બજારને અણગમતાં અહેવાલો પાછળ રોકાણકારોની મૂડીનું મોટું ધોવાણ જોવા મળ્યું હતું. માર્કેટ નિરીક્ષકોના મતે બજારમાં આ પ્રકારની ઘટનાઓ બાદ હાલમાં નવા રોકાણકારોનો પ્રવેશ અટકવા ઉપરાંત હયાત રોકાણકારોમાં પણ નવા રોકાણને લઈને મોટી શંકાઓ સેવવામાં આવી રહી છે.

“આપણા બજારમાં અગાઉ આ રીતે મૂડીધોવાણ જોવાયું નથી અને તે પણ સ્વપ્નેય ના વિચાર્યા હોય તેવા અહેવાલો પાછળ. ક્યારેક એવું લાગે છે કે બજારમાં શેરના ભાવ ઘટાડવા માટેની કોઈ નવી જ મોડસ ઓપરન્ડી કામ કરી રહી છે.” એમ અમદાવાદ સ્થિત એક બ્રોકરેજ હાઉસના માલિક જણાવે છે.

તેમના મતે જે કંપનીઓને રેટિંગ એજન્સીઓએ કમ્ફર્ટેબલ રેટિંગ આપ્યું હોય તેવાં કાઉન્ટર્સ ઓવરનાઇટ જંક પ્રકારનાં બની જાય તે બજાર અને રોકાણકારો માટે ખૂબ જ આઘાતજનક હોય છે. વ્હિસલ બ્લોઅર કે પછી ઓડિટર તરફથી કંપનીને બાય-બાય કર્યાનાં કારણો શેરના મૂલ્યમાં તીવ્ર ઘટાડાનું કારણ બનવાની ઘટનાઓ ભારતીય બજાર માટે નવી છે અને બજાર કદાચ તેને પચાવવા માટે હજુ એટલું મેચ્યોર નથી એમ તેઓ જણાવે છે.

“આમ જુઓ તો આ પ્રકારની ઘટનાઓ બાદ કંપનીના ફંડામેન્ટલ્સમાં ઓવરનાઇટ કોઈ ફેર પડ્યો નથી તેમ છતાં તેમના શેર પ્રાઇસમાં તીવ્ર ધોવાણ નોંધાઈ ચૂક્યું છે. જ્યારે રિટેલ ઇન્વેસ્ટર્સ કે ફંડ્સ આવાં કાઉન્ટર્સમાં તેમના હોલ્ડિંગ્સને છોડશે અને માર્કેટ નેગેટિવ ઘટનાઓને ભૂલી જશે એટલે આ કાઉન્ટર્સ સુધારો દર્શાવશે.” એમ તેઓ જણાવે છે.

વીતેલા સપ્તાહે ઝી એન્ટરટેઇનમેન્ટના શેરમાં ઘટાડા બાદ સોમવારે અદાણી જૂથના શેર્સમાં જોવા મળેલો ઘટાડો તર્કસંગત નહોતો એમ તેઓ જણાવે છે કેમ કે કંપની ઊંચું ઋણ ધરાવે છે તે અગાઉથી જાહેર હતું પરંતુ પ્લેજ શેર્સ સંબંધી કોઈ સમસ્યા જૂથની કોઈ કંપનીને સતાવી રહી નહોતી અને તો પણ જૂથનો શેર્સમાં તીવ્ર કડાકો બોલાયો હતો.

માર્કેટ હંમેશા ઘટાડાને કે પછી સુધારાને યોગ્ય ઠરાવવા માટે કારણો શોધી કાઢે છે અને તેથી તેણે કોબ્રા પોસ્ટના મંગળવારે રજૂ થનારા અહેવાલને અદાણીના શેર્સમાં ઘટાડાનું કારણ દર્શાવ્યું હતું. જોકે મંગળવારે કોબ્રા પોસ્ટે રજૂ કરેલા અહેવાલને અદાણી જૂથ સાથે કોઈ નિસ્બત નહોતી.

આમ માર્કેટમાં કાગનો વાઘ કરવાની અને એ રીતે એક જ દિવસમાં શેરના ભાવને જમીનદોસ્ત કરવાની નવી મોડસ ઓપરેન્ડી ઊભી કરવામાં આવી રહી છે. જે લાંબા ગાળે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર મોટી નેગેટિવ અસર ઉપજાવી શકે છે એવી ચિંતા વર્તુળો વ્યક્ત કરી રહ્યાં છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2SgxDRg

No comments:

Post a Comment

Pages