એ દિવસ જ્યારે ગાંધીજીની હત્યા કરાઈ

નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા રેડિયોના કર્મચારી કેડી મદાનને યાદ છે કે જ્યારે નાથુરામ ગોડસેએ ગાંધી બાપુ પર ગોળીઓ વરસાવી હતી. ગાંધીજી જ્યારે પ્રાર્થના સભા સ્થળ પર પહોંચ્યા, ત્યારે સમય હતો 5 વાગીને 16 મિનિટ. જોકે, એવું કહેવાય છે કે, 5:17એ તેમના પર પહેલી ગોળી ચલાવાઈ.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
લાગ્યું કે ફટાકડો ફૂટ્યો પણ..

મદાન કહે છે કે, જ્યારે ગાંધીજી પર ગોળી ચાલી તો તેમણે કોઈ ફટાકડો ફૂટ્યો હોય તેવું લાગ્યું. ત્યારે જ બીજી ગોળી ચાલી. કોઈ કશું સમજી શકે ત્યાં સુધીમાં ત્રીજી ગોળી પણ ગાંધીજીને વાગી ગઈ. એવું કહેવાય છે કે, તેમણે નાથુરામ ગોડસેને તેમની આંખોથી ગોળી મારતા જોયા હતા. મદાન ગોડસેથી નફરત કરતા હતા.
..અને ડૉક્ટરે બાપુને મૃત જાહેર કર્યા

તેઓ આ વિષયમાં વાત કરવાથી બચતા હતા. લોહીથી લથપત બાપુને લોકો બિડલા હાઉસની પાછળ લઈ આવ્યા. બાપુને ગોળી વાગ્યાની દસમી મિનિટે ડૉક્ટર ડીપી ભાર્વગ પણ ત્યાં પહોંચી ગયા હતા. તેમણે બાપુને મૃત જાહેર કર્યા.
ગોડસેને દિલ્હીના તુગલગ પોલીસ સ્ટેશન લઈ ગયા

મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને બિડલા હાઉસમાં પ્રાર્થના સભામાં આવેલા લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો. તેને તુગલગ રોડના ઈન્સ્પેક્ટર દસૌધા સિંહ અને સંસદ માર્ગ પોલીસ સ્ટેશનના ડીએસપી જસવંત સિંહ વગેરે તુગલગ રોડ પોલીસ સ્ટેશન લઈ આવ્યા. આ વાત સાંજે 6 વાગ્યાની આસપાસની છે. ત્યારે ત્યાં ગાંધીજીની હત્યાની FIR લખવામાં આવી રહી હતી.
ગોડસેને મળવા પહોંચ્યા ગાંધીજીના સૌથી નાના દીકરા

પોલીસ સ્ટેશનમાં ASI ડાલુ રામ કનૉટ પ્લેસમાં એમ-56માં રહેનારા નંદલાલ મહેતાને પૂછીને FIR લખી રહ્યા હતા. આ પ્રક્રિયા જ્યારે પૂર્ણ થઈ રહી હતી, ત્યારે બાપુના સૌથી નાના દીકરા દેવદાસ ગાંધી તુગલગ રોડ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા. તેઓ ત્યાં હાજર પોલીસ અધિકારીઓને આગ્રહ કરતા હતા કે તેઓ ગોડસેને મળવા માગે છે. પરંતુ તેમને આ મંજૂરી આપવામાં ના આવી. દેવદાસ ગાંધી ત્યારે હિન્દુસ્તાન ટાઈમ્સના સંપાદક હતા.
from Page Array – I Am Gujarat http://bit.ly/2Wt3bCN
No comments:
Post a Comment