હાજર જવાબી રણવીરનો મજેદાર જવાબ

બોલિવુડ એક્ટર રણવીર સિંહ હાજર જવાબી છે. તાજેતરમાં રણવીરે એવો મજેદાર જવાબ આપ્યો જે સાંભળીને નવાઈ લાગશે સાથે હસવું પણ આવશે. રણવીરે આ સ્ટેટમેન્ટ હાલની સુપરહિટ ફિલ્મ ‘સિમ્બા’ના પ્રમોશન વખતે આપ્યું.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
રણવીરને બનવું છે વંદો

પ્રમોશન વખતે રણવીરને એક અજીબ સવાલ પૂછવામાં આવ્યો કે, જો તેને કોઈ જીવડા રૂપે જિંદગી વિતાવવી પડે તો તે શું બનવાનું પસંદ કરશે. પહેલા તો રણવીરે આ સવાલનો જવાબ આપવામાં ખચકાટ અનુભવ્યો પણ બાદમાં કહ્યું કે, જો જીવડું બનવું પડે તો તે કોકરોચ (વંદો) બનવાનું પસંદ કરશે. જી, હાં એકદમ સાચું વાંચ્યું તમે, રણવીરે આવો જ જવાબ આપ્યો. કેટલાકને આ વાંચીને ચોક્કસ હસું આવશે પણ રણવીરે વંદો બનવા પાછળનું ખાસ કારણ જણાવ્યું.
સૉલિડ કારણ

રણવીરે કહ્યું, “કોકરોચ એક એવી પ્રજાતિ છે જે ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં જીવિત રહી શકે છે. કુદરતીથી આફતોથી લઈને પરમાણુ હુમલામાં પણ જીવતા રહી શકે છે.” જો આ પોઈન્ટને ધ્યાનમાં લઈ તો રણવીરને ફૂલ માર્ક્સ મળે છે.
હવે ‘ગલી બોય’માં જોવા મળશે ‘સિમ્બા’

જણાવી દઈએ કે ‘સિમ્બા’ની જબરદસ્ત સફળતા બાદ આવતા મહિને રણવીરની વધુ એક ફિલ્મ ‘ગલી બોય’ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રણવીર પ્રથમવાર સિલ્વર સ્ક્રીન પર આલિયા સાથે જોવા મળશે. ઝોયા અખ્તરના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2Rb65gz
No comments:
Post a Comment