Latest

Thursday, January 31, 2019

બિઝનેસમાં અસફળતા, માનસિક અશાંતિ કે બિમારીથી પરેશાન છો તો કરો આ ઉપાય

મહેનત કરવા છતાં નથી મળતું તેનું ફળ?

તમે ઘણી મહેનત કરો છો છતાં પણ પોતાના કામનું ઈચ્છીત ફળ તમને નથી મળતું, તો તમારે પોતાની કુંડળીમાં રહેલા દોષ દૂર કરવાની જરૂર છે. આ દોષોમાંથી મુક્તિ મેળવવાની સૌથી સરળ રીતે છે ભગવાન શિવની ભક્તિ. પોતાની સમસ્યા અનુસાર, તમે શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ અર્પિત કરો અને ભગવાન શિવની ખાસ પૂજા કરીને કુંડળીના અશુભ યોગોના પ્રભાવને દૂર કરી શકો છો. તમને તમારી મહેનતનું ફળ મળવા લાગશે….

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

બિઝનેસની સમસ્યા દૂર કરવા

કુંડળીમાં બુધ સંબંધી દોષોના કારમે કરિયરમાં મુશ્કેલી આવે છે. વ્યવસાયમાં સફળતા નથી મળી શકતી. બિઝનેસ, કરિયર અને અભ્યાસમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર કરવા માટે શિવલિંગ પર દૂર્વા (ધરો ઘાસ) અર્પિત કરો. આથી તમારું મન અભ્યાસમાં લાગશે અને કરિયર સંબંધીત મુશ્કેલીઓ પણ દૂર થશે.

જીવનમાં વધી રહેલી માનસિક પરેશાની

કુંડળીમાં ચંદ્રમાથી સંબંધિત દોષ માનસિક પરેશાનીઓનું કારણ બને છે. તેનાથી મુક્તિ મેળવવા માટે દર સોમવારે શિવલિંગ પર દૂધ અર્પિત કરવું જોઈએ. શ્રાવણ માસમાં આ કામ કરવાથી વધારે ઝડપી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

વારંવાર અપમાનનો સામનો કરવો

સૂર્ય સંબંધિત દોષોના કરાણે અપયશનો સામનો કરવો પડે છે, માન-સન્માનની હાનિ ઉઠાવવી પડે છે. તેનાથી બચવા માટે શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો. આ કાર્ય રોજ કરી શકો તો સૌથી સારું રહેશે. નહીં તો દર સોમવારે શિવમંદિરમાં જઈને શિવલિંગ પર ચંદનનો લેપ કરો.

બિમારી પીછો નથી છોડી રહી

જો તમારી કુંડળીના છઠ્ઠા, આઠમાં અથવા બારમા ઘર કે લગ્ન સ્થામાં રાહુ-કેતુ બેસીને અશુભ યોગ બનાવી રહ્યા છે અથવા સ્વાસ્થ્ય સંબંધીત પરેશાનીઓ સતત આવી રહે છે તો ભગવાન શિવને ધતૂરો અર્પિત કરો. આ એક ઔષધિ છે જે શિવજીને ખૂબ જ પ્રિય છે.

કન્ફ્યૂઝન રહે છે

રાહુ, ચંદ્રમા અને બુધ સાથે જોડાયેલા અશુભ યોગોના કારણે વ્યક્તિનું મન સતત ભ્રમિત રહે છે અને તે એકાગ્રતાથી કોઈ કામ કરી શકતો નથી. આ દોષોથી મુક્તિ મેળવવા માટે શિવલિંગ પર ભાંગ અર્પિત કરો. તેનાથી એકાગ્રતા વધારવામાં લાભ થશે.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2TnHNNx

No comments:

Post a Comment

Pages