‘પોલીસના ડરથી કબૂલી વાત’
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ક્રિકેટ ખેલાડી શાંતાકુમારવન શ્રીસંતે બુધવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેણે દિલ્હી પોલીસની સ્પેશ્યિલ સેલની યાતનામાંથી બચવા માટે 2013માં IPL સ્પોટ ફિક્સિંગમાં સમાવેશ હોવાની વાત કબૂલી હતી. શ્રીસંતે જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ કેએમ જોસેફની બેંચને જણાવ્યું કે દલાલોએ તેને સ્પોટ ફિક્સિંગમાં ઘસેડવાની કોશિશ કરી હતી પરંતુ તે ફસાયો નહોતો.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
શ્રીસંત પર આજીવન પ્રતિબંધ

શ્રીસંત પર આ વિવાદને કારણે આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શ્રીસંતની આ વાતને સાબિત કરવા માટે વકીલે શ્રીસંત અને બુકી વચ્ચે મલયાલમમાં થયેલી વાતચીતનો અનુવાદ કોર્ટને રજૂ કર્યો હતો. કોર્ટે આ પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાસેથી જવાબ માંગ્યો છે. આ સાથે જ ભૂતપૂર્વ ખેલાડી દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજો પર પણ જવાબ આપવાનું કહ્યું છે.
કોર્ટે કહ્યુંઃ વ્યવહાર બરાબર નહીં

શ્રીસંત તરફથી દલીલ કરી રહેલા વકીલ સલમાન ખુર્શીદે કહ્યું કે શ્રીસંત પર ટોવેલ દ્વારા સ્પોટ ફિક્સિંગ કરવાનો આરોપ લગાવ્યો છે પરંતુ ટોવેલ તો મેદાન પર દરેક ખેલાડી રાખે છે. તેમણે કહ્યું કે આ મામલે ઘણું જ કહેવાયું છે. કોર્ટે શ્રીસંતને પૂછ્યું કે બુકી દ્વારા સંપર્ક કરવાની વાતને તેણે બીસીસીઆઈને શા માટે ન જણાવ્યું. આ સાથે જ કોર્ટે કહ્યું કે મેદાન પર શ્રીસંતનો વ્યવહાર બરાબર નહોતો.
બીસીસીઆઈએ લગાવ્યો પ્રતિબંધ

કેરલ હાઈકોર્ટે શ્રીસંત પર બીસીસીઆઈ દ્વારા લગાવવામાં આવેલા આજીવન પ્રતિબંધને જાળવી રાખ્યો છે. આ નિર્ણયને શ્રીસંતે સુપ્રીમમાં પડકાર્યો છે. બીસીસીઆઈએ 15મે, 2018ના રોજ શ્રીસંતની તે અપીલનો વિરોધ કર્યો હતો. જેમાં તેણે પોતાના પર લાગેલા પ્રતિબંધને ઓછો કરવાની માંગણી રજૂ કરી હતી. જેથી તે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી શકે.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2sZWLxi
No comments:
Post a Comment