મથુરા-વૃંદાવનની આ જગ્યાઓ જોઈ છે?

આમ તો કૃષ્ણના ઘણા મંદિર દેશમાં આવેલા છે પણ મથુરા અને વૃંદાવનની તો વાત જ નિરાળી છે. અહીં આખું વર્ષ પર્યટકો આવતા-જતા રહે છે. શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે જો તમે મથુરા-વૃંદાવન જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો આ જગ્યાઓએ ફરવા જજો. અહીં ફરવાની થોડા દિવસ રહેવાની મજા આવશે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
કુસુમ સરોવર

મથુરામાં ગોવર્ધનથી લગભગ બે કિલોમીટર દૂર રાધાકુંડ પાસે કુસુમ સરોવર આવેલું છે. આ સરોવર સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. જેમાં એક રાધા-કૃષ્ણની પણ છે. કહેવાય છે કે, કૃષ્ણ રાધાને આ જ જગ્યાએ છૂપાઈને મળતા હતા. આ જગ્યાએ હવે સરોવર છે જ્યાં પર્યટકો સ્નાન કરે છે. આ સિવાય અહીં આસપાસ તમને કદંબના અનેક વૃક્ષો જોવા મળશે, જે કનૈયાના મનપસંદ છે. આ સિવાય કુસુમ સરોવર પર દરરોજ સાંજે થતી આરતીનો લ્હાવો પણ લેવા જેવો છે.
કંસ કિલ્લો

ભગવાન શ્રીકૃષ્ણના મામા કંસનો કિલ્લો પણ પર્યટકોની પહેલી પસંદ છે. હિંદુ અને મુઘલ આર્કિટેક્ચરનો અદ્ભૂત નમૂનો છે. આ સિવાય કહેવાય છે કે જ્યારે યમુનામાં પૂર આવ્યું ત્યારે આ કિલ્લામાં જ મથુરાના લોકોએ આશરો લીધો હતો. કંસ કિલ્લો હવે જૂનો કિલ્લો અથવા મથુરાના જૂના કિલ્લા તરીકે ઓળખાય છે. કિલ્લાની નજીક પ્રખ્યાત વાસુદેવ અને બ્રહ્મા ઘાટ આવેલા છે. જ્યારે પણ મથુરા જાઓ ત્યારે અહીં જવાનું ન ભૂલતા.
કેસી ઘાટ

યમુના નદીના કિનારે વસેલો કેસી ઘાટ વૃંદાવનનું સૌથી આકર્ષક પર્યટન સ્થળ છે. માન્યતા છે કે પ્રભુ શ્રીકૃષ્ણએ આ જ સ્થાન પર કેસી નામના રાક્ષસનો વધ કર્યો હતો. અને બાદમાં અહીં જ સ્નાન કર્યું હતું. ત્યારથી જ આ જગ્યાનું નામ કેસી ઘાટ પડ્યું. આ જ કારણે પર્યટકો અને સાધકો આ પવિત્ર સ્થળે સ્નાન કરીને કનૈયા પાસે પાપોમાંથી મુક્તિ આપવા પ્રાર્થના કરે છે.
જામા મસ્જિદ

મથુરા-વૃંદાવન જાઓ ત્યારે માત્ર શ્રીકૃષ્ણ કે હિંદુ મંદિરો જ નહીં જામા મસ્જિદ પણ જોવા જઈ શકો છો. 1662માં આ મસ્જિદનું નિર્માણ થયું હતું. આ મસ્જિદ બંધાવનારા Abd-un-Nabi Khan મુઘલ બાદશાહ ઔરંગઝેબના ફોજદાર હતા. આ મસ્જિદ પ્રસિદ્ધ કૃષ્ણ જન્મભૂમિ મંદિરની નજીક આવેલું છે. આ મસ્જિદ પર કરાયેલી ઉત્તમ કલાકારી લોકોના હૃદયમાં અલગ જ છાપ છોડે છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2RbcyrH
No comments:
Post a Comment